રશિયા દ્વારા સમાપ્ત કરવામાં આવેલ 'બ્લેક સી કરાર'ને ચાલુ રાખવા માટે ભારતે યુએનના પ્રયત્નનું સમર્થન કર્યું
Live TV
-
ભારતે બ્લેક સી ગ્રેઇન ઇનિશિયેટિવને ચાલુ રાખવાના યુએનના પ્રયાસોને સમર્થન આપ્યું છે. વર્તમાન સ્ટેન્ડઓફના ઉકેલની આશા વ્યક્ત કરી છે. રશિયાએ તાજેતરમાં જાહેરાત કરી હતી કે તે યુએન કરારના અમલીકરણને રદ કરી રહ્યું છે. જે યુક્રેનિયન બંદરો દ્વારા અનાજ અને ખાદ્ય અને ખાતરોની નિકાસને મંજૂરી આપે છે. રશિયાની આ જાહેરાત બાદ જ ભારતની પ્રતિક્રિયા આવી છે. 'યુક્રેનના અસ્થાયી રૂપે કબજે કરેલા પ્રદેશોમાં પરિસ્થિતિ' આ વિષય પર સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની વાર્ષિક બેઠકને સંબોધતા, સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ રુચિરા કંબોજે કહ્યું કે ભારત આ ક્ષેત્રમાં તાજેતરના વિષયથી ચિંતિત છે જેણે આ ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા જાળવવામાં મદદ કરી નથી. રુચિરા કંબોજે કહ્યું હતું કે ભારત યુક્રેનની સ્થિતિને લઈને સતત ચિંતિત છે. આ યુદ્ધમાં લોકોએ જીવ ગુમાવ્યા છે અને ખાસ કરીને મહિલાઓ, બાળકો અને વૃદ્ધોની તકલીફ વધી છે. લાખો લોકો બેઘર બન્યા છે. અને પડોશી દેશોમાં આશ્રય લેવાની ફરજ પડી છે.
