રશિયા 17 જુલાઈના રોજ ‘કાલાસાગર’ અનાજ સમજૂતીથી અલગ થઈ જશે: UN મહાસચિવ
Live TV
-
સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એન્ટોનિયો ગુટરેસે ચિંતા વ્યક્ત કરી.
સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એન્ટોનિયો ગુટરેસે ચિંતા વ્યક્ત કરી કે, રશિયા 17 જુલાઈના રોજ ‘કાલાસાગર’ અનાજ સમજૂતીથી અલગ થઈ જશે. રશિયા આ સમજૂતીથી અલગ થવાની વારંવાર ધમકી આપી રહ્યું છે. તુર્કીની મધ્યસ્થતાથી આ સમજૂતી કરવામાં આવી હતી. ‘કાલાસાગર’ અનાજ સમજૂતી પર જુલાઈ 2022માં હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. રશિયા અને યુક્રેન મુખ્ય ખાદ્ય સામગ્રી અને વસ્તુઓના અગ્રણી આપૂર્તિકર્તા દેશ છે, જેમાં ઘઉં, મકાઈ અને સૂર્યમુખીનું તેલ તથા અન્ય ખાદ્ય સામગ્રી શામેલ છે.
