શ્રીલંકામાં ચાલી રહેલી પોસન પોયા ઉત્સવની ઉજવણી
Live TV
-
પોસન પોયા ઉત્સવ શ્રીલંકામાં ચાલી રહ્યો છે. જૂનની પૂર્ણિમામાં ઉજવવામાં આવતો તહેવાર 2,000 વર્ષ પહેલાં દેશમાં બૌદ્ધ ધર્મના આગમનને દર્શાવે છે. આ પ્રસંગે ભારતના ઉચ્ચ આયોગે કોલંબોથી લગભગ 20 કિલોમીટર દૂર હોમગામામાં ભારતીય બૌદ્ધ વારસા પર એક પ્રદર્શનનું આયોજન કર્યું છે.
આ કાર્યક્રમનું ઉદ્ઘાટન શ્રીલંકાના સંચાર મંત્રી ડૉ. બંધુલા ગુણવર્દનેએ કર્યું હતું. આ પ્રદર્શનમાં ભારતમાંથી બૌદ્ધ ઉપદેશો સાથે અરાહત મહિન્દાના શ્રીલંકા આગમનને દર્શાવતા વિશેષ ફાનસને પણ પ્રદર્શિત રવામાં આવ્યું છે. સમ્રાટ અશોકના પુત્ર અરાહત મહિન્દાએ રાજા દેવનમ્પિયાતિસાને બૌદ્ધ ધર્મમાં રૂપાંતરિત કર્યા હતા તે સ્થાનને શ્રદ્ધાંજલિ આપવા માટે ગઈકાલે મોટી સંખ્યામાં મિહિંતાલે હિલ પર ભક્તોની ભીડ ઉમટી હતી.
ટાપુ-વ્યાપી ઉજવણીના ભાગરૂપે, શેરીઓ, ઘરો અને જાહેર સ્થળોને બુદ્ધના જીવનના એપિસોડને દર્શાવતા જટિલ રીતે ડિઝાઇન કરેલા કાગળના ફાનસ અને મંડપથી શણગારવામાં આવે છે. આર્થિક કટોકટી અને લોકડાઉનને કારણે છેલ્લાં કેટલાંક વર્ષોમાં ઉજવણી મોટા પાયે થઈ શકી નથી. મિહિંતાલે અને અનુરાધાપુરા ખાતે 6ઠ્ઠી જૂન સુધી ઉત્સવ ચાલુ રહેશે.
