સુડાનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને બચાવવા આગળ આવ્યું સાઉદી અરબ
Live TV
-
સુડાનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને બચાવવા સાઉદી અરબ આગળ આવ્યું. સાઉદી અરબએ પોતાના નાગરિકોની સાથે ભારત સિહત અન્ય દેશના 157 લોકોને સુડાનમાંથી સુરક્ષિત બહાર કાઢ્યા. આ અંગે સાઉદી વિદેશ મંત્રાલયએ નિવેદન જાહેર કરતા કહ્યુ કે અમે કેટલાક મિત્ર દેશના નાગરિકોને બહાર કાઢ્યા છે જેમાં ભારત, બાંગ્લાદેશ, પાકિસ્તાન, કુવૈત, કતર સહિત અન્ય દેશના 66 નાગરિકનો સમાવેશે થાય છે. સાથે સાઉદી અરબએ પોતાના 91 નાગરિકોને બહાર કાઢ્યા. આ તમામ નાગરિકોની દેખભાળ હાલ ખુદ સાઉદી અરબની સરકાર રાખી રહી છે. સુડાનમાં થયેલી હિંસાની ઘટના બાદ આ પહેલીવાર સત્તાવાર રીતે નાગરિકોનું રેસ્ક્યૂ કરાયુ છે. આ તમામ નાગરિકો જ્યાં સુધી ઘરે પરત ના ફરે ત્યાં સુધી ભારતીય વિદેશ મંત્રી એસ. જયશંકર સાઉદ અરબના સંપર્કમાં રહેશે.
