હૈતીમાં ભારે વરસાદને કારણે પૂર અને ભૂસ્ખલનને કારણે 42 લોકોના મોત
Live TV
-
હૈતીમાં ભારે વરસાદને કારણે પૂર અને ભૂસ્ખલનને કારણે 42 લોકોના મોત અને 11 લોકો ગુમ થયા છે.
હૈતીમાં ભારે વરસાદને કારણે પૂર અને ભૂસ્ખલનને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જેમાં ઓછામાં ઓછા 42 લોકો માર્યા ગયા હતા અને 11 લોકો ગુમ થયા હતા. ગેંગ વોર, રાજકીય નિષ્ફળતા અને આર્થિક સ્થિરતાને કારણે પહેલેથી જ લાંબી માનવતાવાદી આપત્તિમાં રોકાયેલો દેશ, ભયંકર હવામાનનો ભોગ બન્યો હતો.
સંયુક્ત રાષ્ટ્રના જણાવ્યા અનુસાર, ભારે વરસાદથી 37 હજાર લોકો પ્રભાવિત થયા અને 13 હજાર ચારસો લોકો વિસ્થાપિત થયા. હૈતીયન અધિકારીઓના જણાવ્યા અનુસાર, રાજધાની પોર્ટ-ઓપ્રિન્સથી 40 કિલોમીટર દક્ષિણ-પશ્ચિમમાં સ્થિત લીઓગેન શહેર પણ પૂરની નદીઓથી ખરાબ રીતે પ્રભાવિત થયું હતું અને વીસ લોકો મૃત્યુ પામ્યા હતા. હૈતીમાં માનવતાવાદી પગલાંના યુએન સંયોજકે જણાવ્યું હતું કે, શહેરમાં હજારો પરિવારો પ્રભાવિત થયા છે અને તેમને તાત્કાલિક ખોરાક, પીવાના પાણી અને દવાની જરૂર છે. પ્રધાનમંત્રી એરિયલ હેનરીએ પ્રતિક્રિયારૂપે નેશનલ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરને સક્રિય કર્યું.
