Skip to main content
Settings Settings for Dark

અમિત શાહ આજે નવી દિલ્હીમાં NCORDની 7મી સર્વોચ્ચ સ્તરની બેઠકની અધ્યક્ષતા કરશે, NCBની ઝોનલ ઓફિસનું પણ ઉદ્ઘાટન કરશે

Live TV

X
  • કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે (ગુરુવારે) નવી દિલ્હીમાં નાર્કો કોઓર્ડિનેશન સેન્ટરની 7મી સર્વોચ્ચ બેઠકની અધ્યક્ષતા કરવા જઈ રહ્યા છે.

    કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં નાર્કો-કોઓર્ડિનેશન સેન્ટર (NCORD)ની 7મી સર્વોચ્ચ સ્તરની બેઠકની અધ્યક્ષતા કરશે. ગૃહમંત્રી રાષ્ટ્રીય નાર્કોટિક્સ હેલ્પલાઈન 'માનસ' (માદક પદાર્થ નિષેધ અસુચના કેન્દ્ર) લોન્ચ કરશે અને શ્રીનગર ખાતે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) ઝોનલ ઓફિસનું ઉદ્ઘાટન કરશે. અમિત શાહ એનસીબીનો ‘વાર્ષિક અહેવાલ 2023’ અને ‘નશા મુક્ત ભારત’ પર સંકલન પણ રજૂ કરશે. આ બેઠકનો હેતુ ભારતમાં ડ્રગની હેરાફેરી અને દુરુપયોગનો સામનો કરવા માટે સંકળાયેલી વિવિધ કેન્દ્રીય અને રાજ્ય સરકારની એજન્સીઓના પ્રયાસોને સંકલન અને સુમેળ સાધવાનો છે.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત સરકારે નશીલા દ્રવ્યોની દાણચોરી સામે 'ઝીરો ટોલરન્સ પોલિસી' અપનાવી છે, જેથી નશીલા દ્રવ્યોનાં દૂષણને નિયંત્રણમાં લાવી શકાય. ગૃહ મંત્રાલય 2047 સુધીમાં પીએમ મોદીના ડ્રગ મુક્ત ભારતના લક્ષ્યને 3 મુદ્દાની વ્યૂહરચના દ્વારા પ્રાપ્ત કરશે - સંસ્થાકીય માળખાને મજબૂત કરવું, તમામ નાર્કો એજન્સીઓ વચ્ચે સંકલન અને વ્યાપક જનજાગૃતિ અભિયાન.

    આ વ્યૂહરચનાના ભાગરૂપે સંખ્યાબંધ પગલાં લેવામાં આવ્યાં છે, જેમાં નીચેની બાબતો સામેલ છેઃ

    • નિયમિત ધોરણે ચાર સ્તરીય પ્રણાલીના તમામ સ્તરે તમામ હિતધારકોની એનસીઓઆરડી બેઠકોનું આયોજન કરવું.
    • પ્રવૃત્તિઓ અને શ્રેષ્ઠ પદ્ધતિઓની વહેંચણી માટે સમર્પિત કેન્દ્રિય એન સીઓઆરડી પોર્ટલનો પ્રારંભ.
    • ચોક્કસ મોટા કેસોની કાર્યકારી બાબતો પર સંકલન માટે એક સંયુક્ત સંકલન સમિતિની રચના કરવી, જે અન્ય ગુનાઓ અને આંતરરાષ્ટ્રીય અસરો સાથે જોડાણ ધરાવે છે.
    • દરેક રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશોમાં સમર્પિત એન્ટી-નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ (એએનએફ)ની સ્થાપના.
    • ડ્રગ ડિસ્પોઝલ ડ્રાઇવને ઉચ્ચ અગ્રતા.
    • નાર્કો અપરાધીઓ માટે નિદાન પોર્ટલનો શુભારંભ.
    • ડ્રગની શોધ માટે કેનાઇન સ્કવોડની રચના.
    • ફોરેન્સિક ક્ષમતાઓને મજબૂત બનાવવી.
    • વિશેષ એનડીપીએસ અદાલતો અને ફાસ્ટ ટ્રેક અદાલતોની સ્થાપના.
    • નશા મુક્ત ભારત અભિયાન (એન.એમ.બી.એ.) નશીલા દ્રવ્યોના દુરુપયોગ સામે જાગૃતિ લાવવા માટે.

    રાજ્યો અને ગૃહ મંત્રાલય વચ્ચે વધુ સારા સંકલન માટે 2016માં એન.સી.ઓ.આર.ડી. મિકેનિઝમની રચના કરવામાં આવી હતી. 2019માં ફોર-ટાયર સિસ્ટમ દ્વારા તેને વધુ મજબૂત બનાવવામાં આવ્યું છે. તે સર્વોચ્ચ સ્તરની એનકોર્ડ સમિતિ ધરાવે છે, જેનું નેતૃત્વ કેન્દ્રીય ગૃહ સચિવ, એક્ઝિક્યુટિવ લેવલ એનસીઓઆરડી સમિતિ કરે છે, જેની અધ્યક્ષતા ગૃહ મંત્રાલયના વિશેષ સચિવ, રાજ્ય સ્તરની એનકોર્ડ સમિતિઓ કરે છે, જેની અધ્યક્ષતા મુખ્ય સચિવો અને જિલ્લા સ્તરની એનસીઓઆરડી સમિતિઓ દ્વારા કરવામાં આવે છે, જેની અધ્યક્ષતા જિલ્લા મેજિસ્ટ્રેટ્સ દ્વારા કરવામાં આવે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
apply