Skip to main content
Settings Settings for Dark

અયોધ્યાનાં રામ મંદિરના શિખર પર PM મોદીએ ફરકાવ્યો ધર્મધ્વજ

Live TV

X
  • શુભ મનાતા અભિજીત મુહૂર્ત દરમિયાન શ્રી રામ મંદિરના શિખર પર ધર્મધ્વજ સ્થાપિત કરવામાં આવ્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શિખર પર ભગવો ધ્વજ ફરકાવ્યો હતો. RSSનાં વડા મોહન ભાગવત અને ટ્રસ્ટના નેતા ગોવિંદગિરી પણ તેમની સાથે હાજર હતા.

    રામ મંદિરના શિખર પર ફરકાવવામાં આવેલો ધ્વજ 10 ફૂટ ઊંચો અને 20 ફૂટ લાંબો છે, જે કાટખૂણા ત્રિકોણના આકારનો છે. તેમાં વૃક્ષ અને 'ઓમ' પ્રતીકની છબી છે. દક્ષિણ ભારતીય સ્થાપત્ય પરંપરામાં ડિઝાઈન કરાયેલા મંદિરની આસપાસની 800 મીટરની દિવાલ મંદિરની સ્થાપત્ય વિવિધતા દર્શાવે છે.

    આ પહેલા, પ્રધાનમંત્રી મોદીએ RSSનાં વડા મોહન ભાગવત સાથે વૈદિક મંત્રોના જાપ વચ્ચે રામ લલ્લાના દરબારમાં પ્રણામ કર્યા. દર્શન કર્યા પછી, તેમણે પ્રાર્થના કરી. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને રાજ્યપાલ આનંદીબહેન પટેલ પણ હાજર રહ્યા હતા.

    ધ્વજવંદન સમારોહ જોવા માટે તમામ ઉંમરના લોકો અને ભક્તો અયોધ્યા પહોંચ્યા છે. તેમને રામ મંદિરની અંદર પ્રવેશવાની મંજૂરી નહીં હોય, પરંતુ તેઓ રામનગરીમાં પહોંચ્યા છે.

    આ ઘટના અયોધ્યામાં ચાલી રહેલા સાંસ્કૃતિક પુનરુત્થાનના બીજા એક મહત્વપૂર્ણ તબક્કાને ચિહ્નિત કરે છે. નેતાઓએ કહ્યું છે કે ધ્વજ માત્ર ધાર્મિક શ્રદ્ધા જ નહીં પરંતુ ભારતની પ્રાચીન સભ્યતા અને સમૃદ્ધ સાંસ્કૃતિક મૂલ્યોનું પણ પ્રતીક છે.

    ઐતિહાસિક ધ્વજવંદન સમારોહને સંબોધતા, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે પેઢીઓની રાહ આજે સાચી પડી છે. તેમણે કહ્યું કે દેશ આજે નવી ઊંચાઈઓ પર પહોંચી રહ્યો છે. આ રામ મંદિર લાખો લોકોની શ્રદ્ધાનું પ્રતીક છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
apply