અયોધ્યા ઢાંચા વિધ્વંસ કેસમાં લખનૌ CBI કોર્ટનો ચુકાદો, તમામ 32 આરોપીઓ નિર્દોષ જાહેર
Live TV
-
અયોધ્યા વિવાદીત માળખા વિધ્વંસ કેસમાં લગભગ અઢી દાયકાથી લખનઉની સીબીઆઇ વિશેષ અદાલતમાં ચાલી રહેલા કેસમાં આજે ચુકાદો આપતાં જજ એસ.કે.યાદવે તમામ 32 આરોપીને દોષમુક્ત જાહેર કર્યા હતા. કોર્ટે જણાવ્યું હતું કે જે કાંઇ બન્યું હતું તે પુર્વ નિયોજીત ષડયંત્ર નહોતું પરંતુ ઘટના અચાનક બની હતી. કેસમાં ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, કલ્યાણસિંહ, ઉમા ભારતી, વિનય કટિયાર, મહંત નૃત્યગોપાલ દાસ , ડો. રામવિલાસ વેદાંતી અને સાધ્વી ઋતંભરા સહિતના તમામ 32 આરોપીઓને કોર્ટે દોષમુક્ત જાહેર કર્યા છે. આ કેસમાં 48 લોકો સામે આરોપો ઘડવામાં આવ્યા હતા, પરંતુ અત્યારસુધીમાં 17 લોકોના મૃત્યુ નિપજી ચુક્યા હતા.
