આજે પ્રયાગરાજમાં બીજુ શાહી સ્નાન
Live TV
-
ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં આજે મૌની અમાસ પર કુંભનું બીજુ શાહી સ્નાન થઈ રહ્યું છે. શ્રદ્ધાળુઓની ભારે ભીડ સંગમમાં ડૂબકી લગાવવા માટે કુંભ મેળા ક્ષેત્રમાં પહોંચી રહી છે. ત્રણ કરોડથી વધુ લોકો આજે ગંગા, યમુના અને સરસ્વતીના પાવન સંગમ પર ડૂબકી લગાવે તેવું અનુમાન છે. વહિવટીતંત્ર અનુસાર દોઢ કરોડથી વધુ શ્રદ્ધાળુઓ સ્નાન માટે પહોંચી ચૂક્યા છે. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મૌની અમાસ પર લોકોને શુભકામનાઓ પાઠવી છે. વહિવટીતંત્ર, પોલીસ અને રેલવે દ્વારા ભીડનું વ્યવસ્થાપન અને શ્રદ્ધાળુઓની સુવિધા માટે પર્યાપ્ત વ્યવસ્થા કરવામાં આવી છે. 49 દિવસનો કુંભ મેળો ચાર માર્ચે સંપન્ન થશે
