આધ્યાત્મિક ગુરૂ ભૈયુજી મહારાજે કરી આત્મહત્યા
Live TV
-
જીવનમાં તણાવ વધી જતા, પોતાને ગોળી મારી કરી હત્યા.
આધ્યાત્મિક ગુરૂ ભૈયુજી મહારાજે પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી છે. પોલીસને તેમની સુસાઈડ નોટ મળી હતી. તેમાં તેમણે લખ્યું હતું , કે "પરિવારની જવાબદારીઓ નિભાવવા કોઈ હોવું જોઈએ. હું જઈ રહ્યો છું. સખત તણાવમાં છું, થાકી ગયો છું." અણ્ણા આંદોલન વખતે સરકાર સાથેની વાતચીતમાં, તમણે મોટી ભૂમિકા નિભાવી હતી, ત્યારે ભૈયુજી ચર્ચામાં આવ્યા હતા. ભૈયુજી મહારાજના ભક્તોમાં અનેક નામી અને અનામી લોકોનો સમાવેશ થાય છે. મધ્યપ્રદેશ સરકારે સાત લોકોને પ્રધાનનો દરજ્જો આપ્યો હતો. તેમાંના તેઓ એક હતા. ભૈયુજી મહારાજનું સાચું નામ ઉદયસિંહ દેશમુખ હતું. ભૈયુજી મહારાજે તાજેતરમાં જ લગ્ન કર્યા હતા. તેમના મોત બાદ અનેક લોકોએ તેમને શ્રધ્ધાજંલિ પાઠવી છે.
