આરજી કર બળાત્કાર-હત્યા કેસ કોલકત્તા કોર્ટ આજે સંજય રોયને સજા સંભળાવશે
Live TV
-
આ કેસમાં મહત્તમ સજા 'મૃત્યુદંડ' હશે, જ્યારે લઘુત્તમ સજા આજીવન કેદ હોઈ શકે છે
કોલકાતાનીઅદાલત આજરોજ રાજ્ય સંચાલિત આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના તાલીમાર્થી મહિલા ડોક્ટર પર બળાત્કાર-હત્યા કેસમાં દોષિત જાહેર થયેલા નાગરિક સ્વયંસેવક સંજય રોયને સજા સંભળાવશે. ઓગસ્ટ 2024 માં કોલકાતાના હોસ્પિટલ પરિસરમાં તાલીમાર્થી મહિલા ડોક્ટરનો મૃતદેહ મળી આવ્યો હતો. સ્પેશિયલ કોર્ટના જજ અનિર્બાન દાસે 18 જાન્યુઆરીએ રોયને દોષિત ઠેરવ્યા હતા.
આ કેસમાં મહત્તમ સજા 'મૃત્યુદંડ' હશે, જ્યારે લઘુત્તમ સજા આજીવન કેદ હોઈ શકે છે
વિશેષ કોર્ટની કાર્યવાહી સોમવારે બપોરે 12 વાગ્યે શરૂ થશે. શરૂઆતમાં ન્યાયાધીશ રોય અને પીડિતાના માતા-પિતાને કેસ પર તેમના અંતિમ નિવેદનો આપવાની મંજૂરી આપશે. આ પછી ખાસ કોર્ટના ન્યાયાધીશ કેસમાં સજા સંભળાવશે. ન્યાયાધીશે 18 જાન્યુઆરીએ જ સ્પષ્ટ કરી દીધું હતું કે આ કેસમાં મહત્તમ સજા 'મૃત્યુદંડ' હશે, જ્યારે લઘુત્તમ સજા આજીવન કેદ હોઈ શકે છે. જોકે, બળાત્કાર અને હત્યાના ગુનાઓ માટે રોય સામે સજા ફટકારવાની પ્રક્રિયા આજે પૂર્ણ થશે. પરંતુ કેસમાં પુરાવા સાથે કથિત છેડછાડ અને બદલાવ અંગે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) ની તપાસ હજુ પણ ચાલુ રહેશે.
આ કેસમાં સુનાવણી પ્રક્રિયા ગયા વર્ષે 11 નવેમ્બરે શરૂ થઈ હતી
ગયા વર્ષે 9 ઓગસ્ટના રોજ સવારે આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના કેમ્પસના સેમિનાર હોલમાંથી તાલીમાર્થી મહિલા ડોક્ટરનો મૃતદેહ મળી આવ્યો હતો. આ કેસની શરૂઆતમાં કોલકાતા પોલીસની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી, જેણે રોયની ધરપકડ કરી હતી. જોકે, ગુનાની તારીખના પાંચ દિવસ પછી સીબીઆઈએ તપાસ હાથ ધરી હતી અને ત્યારબાદ શહેર પોલીસે રોયને કેન્દ્રીય એજન્સીના અધિકારીઓને સોંપી દીધો હતો. આ કેસમાં સુનાવણી પ્રક્રિયા ગયા વર્ષે 11 નવેમ્બરે શરૂ થઈ હતી. આ કેસમાં ચુકાદો ટ્રાયલ શરૂ થયાના 59 દિવસ પછી જાહેર કરવામાં આવશે.
