આવતા વર્ષે માર્ચ સુધીમાં દેશમાંથી ડાબેરી ઉગ્રવાદ સંપૂર્ણપણે નાબૂદ થઈ જશે: ગૃહમંત્રી અમિત શાહ
Live TV
-
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે આવતા વર્ષે માર્ચ સુધીમાં દેશમાંથી ડાબેરી ઉગ્રવાદ સંપૂર્ણપણે નાબૂદ થઈ જશે. એક ખાનગી ચેનલ સાથેની મુલાકાતમાં અમિત શાહે કહ્યું કે સરકારના પ્રયાસોને કારણે છેલ્લા દાયકામાં પૂર્વોત્તર અને ડાબેરી ઉગ્રવાદથી પ્રભાવિત ત્રણ મુખ્ય પ્રદેશોમાં હિંસક ઘટનાઓમાં 75 ટકાનો ઘટાડો થયો છે.
નરેન્દ્ર મોદી સરકારની સિદ્ધિઓનો ઉલ્લેખ કરતા ગૃહમંત્રીએ કહ્યું કે 11 વર્ષથી ઓછા સમયમાં સરકારે લગભગ 60 કરોડ લોકોને આવાસ, વીજળી, શૌચાલય, પીવાનું પાણી અને 5 લાખ રૂપિયાનો આરોગ્ય વીમો પૂરો પાડ્યો છે.
