ઉપરાષ્ટ્રપતિ 22મી ફેબ્રુઆરી, 2025ના રોજ મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજી નગરની મુલાકાત લેશે
Live TV
-
ઉપરાષ્ટ્રપતિ ડો. બાબાસાહેબ આંબેડકર મરાઠવાડા યુનિવર્સિટીના 65માં દીક્ષાંત સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે
સંભાજી નગરની એસબી કોલેજ ખાતે બંધારણ જાગૃતિ વર્ષ અને અમૃત મહોત્સવનું પણ ઉદ્ઘાટન કરશે
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર, 22મી ફેબ્રુઆરી, 2025ના રોજ મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજી નગર ખાતે એક દિવસના પ્રવાસ પર હશે. તેઓ આ દરમિયાન, ડૉ. બાબાસાહેબ આંબેડકર મરાઠવાડા યુનિવર્સિટી, સંભાજી નગર, મહારાષ્ટ્રના 65મા દીક્ષાંત સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે અધ્યક્ષતા કરશે અને સંભાજી નગર ખાતેની એસબી કૉલેજમાં બંધારણ જાગૃતિ વર્ષ અને અમૃત મહોત્સવનું ઉદ્ઘાટન કરશે.
તેમની મુલાકાતના ભાગ રૂપે, શ્રી ધનખર એલોરાના ગૃષ્ણેશ્વર મંદિરમાં પૂજા અને આશીર્વાદ પણ લેશે અને એલોરાની ગુફાઓ (કૈલાશ ગુફા) ની મુલાકાત લેશે.