Skip to main content
Settings Settings for Dark

ઓજસ્વી વક્તા અને સેવાની મૂર્તિ સમાન સ્વર્ગસ્થ સુષમા સ્વરાજની આજે જન્મજયંતિ

Live TV

X
  • ભારતના પૂર્વ વિદેશ મંત્રી અને પદ્મ વિભૂષણથી સન્માનિત દિવંગત નેતા સુષમા સ્વરાજની આજે જન્મજયંતિ છે. આ અવસરે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને લોકસભા સ્પીકર ઓમ બિરલા સહિતના અનેક દિગ્ગજ નેતાઓએ સોશિયલ મીડિયા દ્વારા તેમને યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

    ભારતના પૂર્વ વિદેશ મંત્રી અને પદ્મ વિભૂષણથી સન્માનિત દિવંગત નેતા સુષમા સ્વરાજની આજે જન્મજયંતિ છે. આ અવસરે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને લોકસભા સ્પીકર ઓમ બિરલા સહિતના અનેક દિગ્ગજ નેતાઓએ સોશિયલ મીડિયા દ્વારા તેમને યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

    અમિત શાહ: "જનકલ્યાણ તેમનો જીવનમંત્ર હતો"
    કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે 'X' પર પોસ્ટ કરતા લખ્યું કે, "સંગઠનથી લઈને સરકાર સુધી જનકલ્યાણને પોતાના જીવનનું લક્ષ્ય બનાવનાર સુષમા સ્વરાજ રાષ્ટ્રહિતના વિષયો પર તેમની નિર્ભયતા માટે જાણીતા હતા. દેશની સંસ્કૃતિ, ભાષા, વિદેશ નીતિ અને નારી સશક્તિકરણ માટેના તેમના કાર્યો દાયકાઓ સુધી દેશવાસીઓને પ્રેરણા આપતા રહેશે."

    યોગી આદિત્યનાથ: "રાજનીતિમાં શુચિતા અને સંવેદનાની ત્રિવેણી"
    યુપીના સીએમ યોગી આદિત્યનાથે સુષમાજીને નમન કરતા જણાવ્યું હતું કે, "ભારતીય રાજનીતિના ક્ષિતિજ પર પોતાની વિદ્વતા, શાલીનતા અને ઓજસ્વિતાની અમિટ છાપ છોડનાર સુષમા સ્વરાજનું જીવન રાજનીતિમાં સામર્થ્ય અને સંવેદનાની એવી ત્રિવેણી હતી, જેણે સત્તાને 'સેવા'ના ઉચ્ચતમ શિખર પર પ્રતિષ્ઠિત કરી."

    લોકસભા સ્પીકર ઓમ બિરલાની અંજલિ
    ઓમ બિરલાએ સુષમા સ્વરાજને કુશળ રાજનીતિજ્ઞ ગણાવતા કહ્યું કે, "વિદેશ મંત્રી તરીકે તેમણે વૈશ્વિક મંચ પર ભારતની પ્રતિષ્ઠા વધારી છે. મુશ્કેલીના સમયે વિદેશમાં ફસાયેલા ભારતીયો પ્રત્યે તેમની આત્મીયતા અને તત્પરતા હંમેશા યાદ રાખવામાં આવશે. તેમનું જીવન લોકસેવા ક્ષેત્રે એક પ્રેરક આદર્શ છે."

    કેન્દ્રીય મંત્રીઓએ વ્યક્ત કરી લાગણી
    નિતિન ગડકરી: કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ સુષમા સ્વરાજને વિનમ્ર અભિવાદન પાઠવ્યું હતું.

    કિરેન રિજિજુ: તેમણે સુષમાજીને 'ઓજસ્વી વાણીના ધની' અને 'સેવાનાં સજીવ પ્રતીક' ગણાવતા કહ્યું કે તેમના આદર્શો હંમેશા આપણું માર્ગદર્શન કરતા રહેશે.

    ઉલ્લેખનીય છે કે, સુષમા સ્વરાજ ભારતીય જનતા પાર્ટીના સૌથી કદાવર નેતાઓમાંના એક હતા અને વિદેશ મંત્રી તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન તેમણે સામાન્ય માનવીની મદદ માટે સોશિયલ મીડિયાનો જે રીતે ઉપયોગ કર્યો હતો, તે આજે પણ એક મિસાલ માનવામાં આવે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-03-2026 Max Temp : °C Min Temp : °C
apply