Skip to main content
Settings Settings for Dark

ઓડિશાના પુરીમાં જગન્નાથ રથયાત્રામાં લાખો ભક્તો ઉમટ્યા, તંત્ર દ્વારા સુરક્ષાના સઘન પ્રબંધ

Live TV

X
  • ભારતના સૌથી મોટા અને પવિત્ર ધાર્મિક તહેવારોમાંના એક એવા વિશ્વ પ્રસિદ્ધ 'જગન્નાથ રથયાત્રા'નો ગુરુવારે(16 જુલાઈ) ઓડિશાના પુરીમાં પ્રારંભ થયો છે. ભગવાન જગન્નાથ, ભગવાન બલભદ્ર અને દેવી સુભદ્રાની ભવ્ય વાર્ષિક શોભાયાત્રાના સાક્ષી બનવા માટે દેશભરમાંથી લાખો ભક્તો પુરીમાં એકત્રિત થયા છે.

    આ સદીઓ જૂનો તહેવાર અત્યંત ધાર્મિક મહત્ત્વ ધરાવે છે, કારણ કે આ એકમાત્ર એવો પ્રસંગ છે જ્યારે જગન્નાથ મંદિરના મુખ્ય દેવી-દેવતાઓ ગર્ભગૃહમાંથી બહાર આવીને પુરીના માર્ગો પર ભ્રમણ કરે છે, જેથી જીવનના દરેક વર્ગના ભક્તો તેમના આશીર્વાદ મેળવી શકે છે.

    રથયાત્રા દરમિયાન, ભગવાન જગન્નાથ, તેમના મોટા ભાઈ ભગવાન બલભદ્ર અને બહેન દેવી સુભદ્રાને ત્રણ ભવ્ય રીતે શણગારેલા લાકડાના રથમાં બિરાજમાન કરવામાં આવે છે. આ રથને હજારો ભક્તો મંત્રોચ્ચાર, ભક્તિગીતો અને ધાર્મિક ઉત્સાહ સાથે ખેંચે છે.

    જગન્નાથ મંદિરથી ગુંડિચા મંદિર સુધીની ભાઈ-બહેન દેવી-દેવતાઓની પવિત્ર યાત્રા થાય છે. આ યાત્રા દૈવી કરુણા, પ્રેમ અને ભગવાન જગન્નાથની સામાજિક કે સાંસ્કૃતિક અવરોધોને ધ્યાનમાં લીધા વિના ભક્તોની વચ્ચે આવીને તેમને આશીર્વાદ આપવાની ઈચ્છાનું પ્રતીક છે. દર વર્ષે આ તહેવાર ભારત અને વિદેશના શ્રદ્ધાળુઓ, સંતો અને પ્રવાસીઓને આકર્ષે છે, જે તેને દેશના સૌથી મહત્ત્વપૂર્ણ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાંનો એક બનાવે છે. તહેવાર દરમિયાન અપેક્ષિત ભક્તોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને, સત્તાવાળાઓએ ભીડ વ્યવસ્થાપન, સુરક્ષા અને રથયાત્રાના નિર્વિઘ્ન સંચાલન માટે વિસ્તૃત વ્યવસ્થા કરી છે.

    પુરી આવતા યાત્રાળુઓની અવરજવરને સરળ બનાવવા માટે, ભારતીય રેલવેએ પણ તહેવાર દરમિયાન અનેક રૂટ પર વિશેષ ટ્રેન સેવાઓ શરૂ કરવાની જાહેરાત કરી છે. રેલવેના જણાવ્યા અનુસાર, જગદલપુર-પુરી અને રાયગઢ-પુરી વચ્ચે વિશેષ ટ્રેનો દોડશે, જે મુસાફરોની અવરજવરને સરળ બનાવશે. ઓડિશા પોલીસે પુરી આવતા વાહનોના પ્રવાહને ધ્યાનમાં રાખીને ટ્રાફિકની ગતિશીલ વ્યવસ્થા ગોઠવી છે. લોકોની સુવિધા માટે પોલીસે ૫૯૫ કાયમી અને ૧,૦૫૦ કામચલાઉ સાઇનેજ લગાવ્યા છે.

    આ સિવાય, તહેવાર દરમિયાન સુરક્ષા વ્યવસ્થા માટે 13000 થી વધુ પોલીસ જવાનો અને પૂરતી સંખ્યામાં સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ (CAPF) તૈનાત કરવામાં આવશે. દરિયાઈ માર્ગે થતી કોઈપણ ગેરકાયદેસર પ્રવૃત્તિને રોકવા માટે ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ અને ભારતીય નૌકાદળ પણ એલર્ટ પર રહેશે.

    બીજી તરફ, 19 વરિષ્ઠ IPS અધિકારીઓને સમગ્ર સુરક્ષા વ્યવસ્થાની દેખરેખ રાખવાની જવાબદારી સોંપવામાં આવી છે. રાજ્ય સરકારે ભક્તોની અવરજવર પર નજર રાખવા માટે 473 CCTV કેમેરા લગાવ્યા છે અને ભક્તોને ઓડિયા, હિન્દી અને અંગ્રેજીમાં મહત્ત્વપૂર્ણ માહિતી આપવા માટે 65 મોટા LED સ્ક્રીન મૂક્યા છે. તે જ રીતે, કોમ્યુનિકેશન સેવાઓને મજબૂત કરવા માટે 16 કાયમી મોબાઈલ ટાવર અને અનેક કામચલાઉ ટાવર પણ ઉભા કરવામાં આવ્યા છે. માહિતીના પ્રસાર માટે બલ્ક મેસેજિંગ સુવિધાનો પણ ઉપયોગ કરવામાં આવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-07-2026 Max Temp : °C Min Temp : °C
apply