કારોબારના અંતે ભારતીય શેરબજારમાં ઘટાડો
Live TV
-
સતત ત્રીજા દિવસે આજે પણ કારોબારના અંતે ભારતીય શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો.
સેન્સેક્સ 270.84 પોઈન્ટના ઘટાડા સાથે 81 હજાર 909 પર બંધ થયો હતો.તો નિફ્ટી લગભગ 75 પોઈન્ટના ઘટાડા સાથે 25 હજાર 157 પર બંધ રહ્યો હતો.બેન્કિંગ, ટેક, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને કેમિકલ સેક્ટરમાં ભારે વેચવાલી જોવા મળી, જેમાં ઘણા કેમિકલ શેરોમાં તીવ્ર ઘટાડો નોંધાયો છે. તો બીજી તરફ સોના-ચાંદીના ભાવ આસમાને પહોંચ્યા છે.ચાંદીનો ભાવ 3 લાખ 34 હજાર અને સોનાનો ભાવ 1 લાખ 57 હજારને પાર પહોંચ્યો છે.સાથે જ ગ્લોબલ અનિશ્ચિતતાને કારણે ડોલર સામે રૂપિયો 91.69 પર પહોંચ્યો છે.
