ક્રિસમસ પર PM મોદી દિલ્હીના કેથેડ્રલ ચર્ચ ગયા
Live TV
-
દેશભરમાં નાતાલની ઉજવણી કરવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ નાતાલના દિવસે ગુરુવારે દિલ્હીની કેથેડ્રલ ચર્ચ ઓફ ધ રિડેમ્પશનમાં નાતાલની સવારની પ્રાર્થનામાં સામેલ થયા હતા. અહીં પ્રાર્થના કરવામાં આવી હતી. જ્યારે દિલ્હીના બિશપ રેવ ડો. પોલ સ્વરૂપે પીએમ મોદી માટે વિશેષ પ્રાર્થના કરી હતી. રાહુલ ગાંધીએ પણ એક વીડિયો પોસ્ટ કરીને નાતાલ અને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી.
આ પહેલા વડાપ્રધાને નાગરિકોને ક્રિસમસની શુભેચ્છા પાઠવી હતી. તેમણે X પર એક અન્ય પોસ્ટમાં લખ્યું- "બધાને શાંતિ, કરુણા અને આશાથી ભરેલા ક્રિસમસની શુભેચ્છાઓ. ઈસુ ખ્રિસ્તના ઉપદેશો આપણા સમાજમાં સદ્ભાવનાને મજબૂત કરે."
છેલ્લા કેટલાક વર્ષોથી PM મોદી નિયમિતપણે ખ્રિસ્તી સમુદાય સાથે સંબંધિત કાર્યક્રમોમાં ભાગ લઈ રહ્યા છે. 2023માં નાતાલ પર તેમણે દિલ્હીમાં તેમના નિવાસસ્થાન 7 લોક કલ્યાણ માર્ગ પર એક કાર્યક્રમ રાખ્યો હતો.
2024માં તેઓ મંત્રી જ્યોર્જ કુરિયનના ઘરે ડિનરમાં ગયા હતા. તેમજ કેથોલિક બિશપ્સ કોન્ફરન્સ ઓફ ઇન્ડિયાના કાર્યક્રમમાં પણ હાજરી આપી હતી.
