પીએમ મોદી 17 જાન્યુઆરીએ પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેનનું કરશે ઉદ્ઘાટન
Live TV
-
દેશને તેની પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન મળવાની તૈયારી છે. કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 17 જાન્યુઆરીએ પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેનનું ઉદ્ઘાટન કરશે. આ ટ્રેન કોલકાતા અને ગુવાહાટી વચ્ચે દોડશે.
વંદે ભારત સ્લીપર ટ્રેનના ઉદ્ઘાટન સાથે છ નવી અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનો પણ શરૂ કરવામાં આવી રહી છે. આ ટ્રેનો 17 અને 18 જાન્યુઆરીએ મુસાફરો માટે ઉપલબ્ધ થશે.
પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન
પ્રધાનમંત્રી મોદી 17 જાન્યુઆરીએ પશ્ચિમ બંગાળના માલદા ટાઉનથી દેશની પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેનને લીલી ઝંડી આપશે. આ ટ્રેન કામાખ્યા અને હાવડા જંકશન વચ્ચે અઠવાડિયામાં છ દિવસ દોડશે. મુસાફરો માટે છ નવી અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનો પણ શરૂ કરવામાં આવી રહી છે.
