પ્રધાનમંત્રીએ ટીબી મુક્ત ભારત તરફ રાજ્યસભાના સભ્ય મહારાજા સનજાઓબા લિશેમ્બાના પ્રયાસોની પ્રશંસા કરી
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યસભાના સભ્ય મહારાજા સનજાઓબા લિશેમ્બાના ટીબી મુક્ત ભારત તરફના પ્રયાસોની પ્રશંસા કરી છે. રાજ્યસભાના સાંસદના ટ્વીટનો જવાબ આપતા પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારતને ટીબી મુક્ત બનાવવા માટે સમગ્ર દેશમાં જાગૃતિ વધી છે અને ઘણા લોકો ટીબીના દર્દીઓની સંભાળ લઈ રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જબલપુરના પ્રાચીન સંગ્રામ સાગરના પુનરુત્થાન તરફના લોકોના પ્રયાસોની પણ પ્રશંસા કરી છે. જબલપુરના સાંસદ રાકેશ સિંહના ટ્વીટના જવાબમાં પ્રધાનમત્રીએ કહ્યું કે જબલપુરના પ્રાચીન સંગ્રામ સાગરના પુનરુત્થાન માટે લોકોનો શ્રમ પ્રશંસનીય છે. કુરુક્ષેત્રના સાંસદ નાયબ સૈનીના ટ્વીટના જવાબમાં વડાપ્રધાને કહ્યું કે, હરિયાણાના કુરુક્ષેત્રના બાણગાંવના રહેવાસી અંકુર દ્વારા જળ સંરક્ષણ માટે કરવામાં આવેલા પ્રયાસો પ્રશંસનીય છે.
