પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અપીલ : COVID-19 નો સામનો કરવા PM-CARES ફંડમાં કરો દાન
Live TV
-
દેશભરમાંથી લોકોએ COVID-19 સામેની લડાઈમાં સહયોગની ઈચ્છા દર્શાવી છે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટર પર ટ્વીટ કરતા લખ્યુ છે કે PM-CARES ફંડ માઈક્રો ડોનેશનને પણ સ્વીકારશે.. આપત્તિકાળમાં જરૂરી ક્ષમતાઓને મજબૂત કરવા ફંડ વપરાશે, સાથે જ નાગરિકોની સુરક્ષા પર રિસર્ચ માટે પ્રોત્સાહિત કરશે.. તમારી ભાવિ પેઢીઓ માટે આપણે ભારતને સ્વસ્થ અને મજબૂત બનાવવામાં કોઈ કસર નથી રાખવી..દેશવાસીઓને મારી અપીલ છે કે કૃપા કરીને તેઓ PM-CARES ફંડમાં પોતાનું યથાશક્તિ ફંડ આપવા આગળ આવે..દેશભરમાંથી લોકોએ COVID-19 સામેની લડાઈમાં સહયોગની ઈચ્છા દર્શાવી છે
પ્રધાનમંત્રીની અપીલ બાદ અભિનેતા અક્ષયકુમારે 25 કરોડ દાનની જાહેરાત ટ્વીટરના માધ્યમથી આપી છે..ઉદ્યોગપતિ રતન તાતાએ પણ 500 કરોડની રકમ કોરોના વાયરસ સામે લડવા માટે દાન આપવાની જાહેરાત કરી છે.. પ્રધાનમંત્રીએ જણાવ્યુ છે કે આ એક પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ છે.પ્રધાનમંત્રી તેના ચેરમેન હશે..અને ગૃહમંત્રી, રક્ષામંત્રી , નાણામંત્રી તેના સદસ્યો હશે..આ ફંડમાં દાનમાં અપાયેલી નાનામા નાની રક પણ 80 G અંતર્ગત કરમુક્ત રહેશે..
