પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે તેલંગાણાના તુપ્રાન અને નિર્મલમાં જનસભા કરશે
Live TV
-
તેલંગાણામાં વિધાનસભા ચૂંટણી પ્રચાર અંતિમ તબક્કામાં છે. તેલંગાણામાં 30 નવેમ્બરે 119 બેઠકો માટે મતદાન યોજાશે. તમામ રાજકીય પક્ષોના ટોચના નેતાઓએ વિવિધ વિધાનસભા મતવિસ્તારમાં પ્રચાર ઝડપી બનાવ્યો છે.
ભાજપ, કોંગ્રેસ અને ડાબેરી પક્ષોના ટોચના નેતાઓ અંતરિયાળ વિસ્તારમાં પ્રચાર કરી રહ્યાં છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીતેલંગાણામાં આજે તુપ્રાન અને નિર્મલમા જનસભા કરશે.
પ્રધાનમંત્રીએ ગઇકાલે જનસભાને સંબોધતા UPA અને BRS ની ટીકા કરી હતી. તેમણે કહ્યું હતું કે નામ બદલવાથી વોટ બેંકનો ઇતિહાસ બદલી શકાય નહિ. દરમિયાન, ગૃહમંત્રી અમિત શાહ આજે તેલંગાણામા ચાર જનસભાને સંબોધન કરશે. ગઇકાલે અમિતશાહે કોલ્લાપુરમા જનસભા સંબોધી હતી. તેમણે આરોપ લગાવ્યો હતો,, કે KCR સરકારના કાર્યકાળમા 1400 પેપરો લીક થયા હતાં. દરમિયાન,કોંગ્રેસ અને BRS ના સ્ટાર પ્રચારકો પણ પ્રચાર કરી રહ્યાં છે.
