પ્રધાનમંત્રી મોદીએ સ્વામી વિવેકાનંદને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ કરી અર્પણ
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વામી વિવેકાનંદને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી. તેમણે કહ્યું કે તેમનું વ્યક્તિત્વ અને વિચારો સતત વિકસિત ભારત માટેના સંકલ્પને ઉર્જા આપે છે.
રાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે, પ્રધાનમંત્રીએ યુવાનોને પ્રેરણા મેળવવાનું આહ્વાન કર્યું અને કહ્યું કે આ દિવસ દેશવાસીઓ, ખાસ કરીને યુવાનોમાં નવી શક્તિ અને આત્મવિશ્વાસ લાવવો જોઈએ.
પ્રધાનમંત્રી મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું –
“ભારતીય યુવાનો માટે પ્રેરણાના શક્તિશાળી સ્ત્રોત સ્વામી વિવેકાનંદને તેમની જન્મજયંતિ પર મારી આદરપૂર્ણ શ્રદ્ધાંજલિ. તેમનું વ્યક્તિત્વ અને કાર્ય સતત વિકસિત ભારત માટેના સંકલ્પને ઉર્જા આપે છે. હું ઈચ્છું છું કે રાષ્ટ્રીય યુવા દિવસનો આ દિવ્ય અવસર તમામ દેશવાસીઓ, ખાસ કરીને આપણા યુવા મિત્રોમાં નવી શક્તિ અને નવો આત્મવિશ્વાસ લાવે.”
