પ્રધાનમંત્રી મોદી વારાણસીની મુલાકાતે
Live TV
-
પ્રધાનમંત્રી મોદી વારાણસીની મુલાકાતે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે તેમના સંસદીય મતવિસ્તાર વારાણસીના પ્રવાસે જશે,અને લગભગ રૂ. 6,100 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરશે. તેઓ રીગ રોડ સ્થિત આર જી આંખની હોસ્પિટલનું લોકાર્પણ કરશે. પ્રધાનમંત્રી લાલ બાહદુર શાસ્ત્રી એરપોર્ટના એક્સપાનશનનું ખાતમુર્હત કરશે.
આ સિવાય આગ્રા અને દરભંગા એરપોર્ટના વિકાસ કાર્યોનુ ખાત મુર્હત કરશે. કાશીથી પ્રધાનમંત્રી ઉત્તરપ્રદેશની 6100 કરોડ કરતા વધારેની અનેક યોજનાઓના ખાત મુર્હત અને લોકાર્પણ કરશે. તેઓ શીકરા સ્ટેડીયમ ખાતે એક જનસભાને સંબોધન કરશે. પ્રધાનમંત્રીના કાશી પ્રવાસની આ વિસ્તારના વિકાસને ગતી મળશે. પ્રધાનમંત્રી વારાણસીથી જ મધ્યપ્રદેશના એક એરપોર્ટનું ઉદધાટન કરશે.
