પ્રશાંત કિશોરે BPSCનાં વિદ્યાર્થીઓને ધમકાવ્યા હોવાનો પપ્યુ યાદવે લગાવ્યો આરોપ
Live TV
-
પૂર્ણિયાના લોકસભા સાંસદ પપ્પુ યાદવે જન સૂરજ પાર્ટીના નેતા પ્રશાંત કિશોર પર BPSCના વિદ્યાર્થીઓને ધમકાવવાનો આરોપ લગાવ્યો છે. આ સિવાય તેમણે કહ્યું કે તે પોતે નવા નેતા બન્યા છે. સાંસદ પપ્પુ યાદવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રશાંત કિશોરનો વિદ્યાર્થીઓને મળતો વીડિયો શેર કર્યો છે, જેમાં વિદ્યાર્થી અને તેમની વચ્ચે ચર્ચા જોવા મળી રહી છે. વીડિયોના કેપ્શનમાં પપ્પુ યાદવે લખ્યું છે કે, "પ્રશાંત જી પોતે નવા નેતા બની ગયા છે, અને વિદ્યાર્થીઓને ધમકાવી રહ્યાં છે, તેઓ તેમની સત્તા બતાવી રહ્યા છે.
વાસ્તવમાં, રવિવારે સવારે મોટી સંખ્યામાં ઉમેદવારોએ પટનાના ગાંધી મેદાનમાં બાપુની પ્રતિમા સામે એકત્ર થઈને પ્રદર્શન કર્યું, બિહાર પબ્લિક સર્વિસ કમિશન (BPSC)ની 70મી પ્રારંભિક પરીક્ષા રદ કરવાની માંગણી કરી. આ પ્રદર્શનમાં જન સૂરજના નેતા પ્રશાંત કિશોરે પણ ભાગ લીધો હતો. આ પછી પ્રશાંત કિશોરની આગેવાનીમાં ઉમેદવારોના ટોળાએ મુખ્યમંત્રી નીતિશ કુમારને મળવાની માંગ સાથે ગાંધી મેદાનથી કૂચ કરી હતી. જેપી ગોલંબર પાસે પોલીસે વિદ્યાર્થીઓને અટકાવ્યા હતા. જિલ્લા પ્રશાસને વિદ્યાર્થીઓ સાથે વાત કરવાની ઓફર કરી હતી, પરંતુ વિદ્યાર્થીઓએ તેને ફગાવી દીધી હતી.
એવું કહેવામાં આવ્યું હતું કે જન સૂરજના નેતા જેપી ગોલંબર પાસે ભીડને છોડીને જતા રહ્યા જ્યારે ભીડ બેકાબૂ બની ગઈ. વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓને રોકવા માટે પહેલા તેમના પર વોટર કેનનનો ઉપયોગ કરવો પડ્યો હતો અને હળવા બળનો ઉપયોગ કરીને તેમને દૂર કરવામાં આવ્યા હતા અને પરિસ્થિતિ સામાન્ય થઈ હતી.
જણાવી દઈએ કે જન સૂરજના સંસ્થાપક પ્રશાંત કિશોર અને પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ મનોજ ભારતી સહિત લગભગ 21 લોકો વિરુદ્ધ પટનાના ગાંધી મેદાન પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી છે. તેના પર વિદ્યાર્થીઓને ઉશ્કેરવાનો અને હંગામો મચાવવાનો આરોપ છે. નોંધાયેલી FIRમાં 21 નામ અને 600 થી 700 અજાણ્યા લોકોને આરોપી બનાવવામાં આવ્યા છે.
અધિકારીએ કહ્યું કે પટનાના ગાંધી મેદાન પોલીસ સ્ટેશનમાં પ્રશાંત કિશોર સહિત 21 લોકો વિરુદ્ધ અનધિકૃત રીતે ભીડ એકત્રિત કરવા લોકોને ઉશ્કેરવા અને કાયદો તથા વ્યવસ્થામાં સમસ્યા ઊભી કરવાના આરોપમાં FIR નોંધવામાં આવી છે. નોંધાયેલી FIRમાં 21 નામ અને 600 થી 700 અજાણ્યા લોકોને આરોપી બનાવવામાં આવ્યા છે.
