બંધારણ દિવસ પર પ્રધાનમંત્રી મોદીએ ઘડવૈયાઓને આપી શ્રદ્ધાંજલિ
Live TV
-
બંધારણ દિવસ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બંધારણના ઘડવૈયાઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. તેમણે કહ્યું કે તેમની દ્રષ્ટિ અને દૂરંદેશી 'વિકસિત ભારત'ના સંકલ્પ માટે મજબૂત પાયો પૂરો પાડે છે.
પ્રધાનમંત્રી મોદીએ ભારતીય બંધારણને માનવ ગૌરવ, સમાનતા અને સ્વતંત્રતાના સર્વોચ્ચ મૂલ્યોનું પ્રતીક ગણાવ્યું. તેમણે ભારપૂર્વક કહ્યું કે બંધારણ નાગરિકોને તેમના અધિકારો સાથે તેમની ફરજો પ્રત્યે સતર્ક રહેવા માટે પણ પ્રેરણા આપે છે.પ્રધાનમંત્રી મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કરીને જણાવ્યું કે બંધારણ રાષ્ટ્રનું માર્ગદર્શન કરે છે, અને નાગરિક ફરજો મજબૂત લોકશાહીનો પાયો છે.
બીજી એક પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ માહિતી આપી કે તેમણે બંધારણ દિવસ નિમિત્તે દેશવાસીઓને પત્ર લખ્યો છે. આ પત્રમાં તેમણે બંધારણની મહાનતા, મૂળભૂત ફરજોની ભૂમિકા અને નાગરિક જવાબદારીના મહત્વ જેવા વિષયો પર પોતાના વિચારો શેર કર્યા છે.પ્રધાનમંત્રીએ તમામ નાગરિકોને તેમની ફરજો યાદ રાખવા અને રાષ્ટ્ર નિર્માણમાં સક્રિયપણે યોગદાન આપવાની પ્રતિજ્ઞા લેવા અપીલ કરી હતી.
