બિહારના સીતામઢીમાં બનશે જાનકી મંદિર, અમિત શાહે કર્યું ભૂમિપૂજન
Live TV
-
કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે બિહારના પ્રવાસ દરમિયાન સીતામઢીમાં બનનારા નવા ‘માતા જાનકી મંદિર’નું ભૂમિપૂજન કર્યુ. આ પ્રસંગે તેમની સાથે બિહારના મુખ્ય પ્રધાન નીતિશ કુમાર પણ હાજર રહ્યા. પુનૌરા ધામ ખાતેના દેવી સીતાને સમર્પિત આ મંદિર મિથિલા પ્રદેશ માટે એક મહત્વપૂર્ણ ધાર્મિક અને સાંસ્કૃતિક પહેલનું પ્રતિક છે અને તેને ‘બિહારની અયોધ્યા’ તરીકે ઓળખવામાં આવી રહ્યું છે.
કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે બિહારના પ્રવાસ દરમિયાન સીતામઢીમાં બનનારા નવા ‘માતા જાનકી મંદિર’નું ભૂમિપૂજન કર્યુ. આ પ્રસંગે તેમની સાથે બિહારના મુખ્ય પ્રધાન નીતિશ કુમાર પણ હાજર રહ્યા. પુનૌરા ધામ ખાતેના દેવી સીતાને સમર્પિત આ મંદિર મિથિલા પ્રદેશ માટે એક મહત્વપૂર્ણ ધાર્મિક અને સાંસ્કૃતિક પહેલનું પ્રતિક છે અને તેને ‘બિહારની અયોધ્યા’ તરીકે ઓળખવામાં આવી રહ્યું છે.
મંદિર પરિસરની અંદાજીત કિંમત ₹882.87 કરોડ
મંદિર પરિસરની અંદાજીત કિંમત ₹882.87 કરોડ છે. તેને 67 એકરમાં બનાવવામાં આવશે, જેમાં 151 ફૂટ ઊંચું ગર્ભગૃહ તેનું કેન્દ્રીય માળખું રહેશે. મંદિર 2028 સુધીમાં પૂર્ણ થશે તેવી અપેક્ષા છે અને બિહાર પર્યટન વિભાગ તેના વિકાસ કાર્યનું નેતૃત્વ કરશે. ભૂમિ પૂજનને એક મોટા ધાર્મિક સમારોહ તરીકે આયોજન કરવાની યોજના છે. આ મંદિર અયોધ્યાના રામ મંદિર સમાન આધ્યાત્મિક રીતે મહત્વપૂર્ણ અને સ્થાપત્યકલા દૃષ્ટિએ ભવ્ય બનાવવામાં આવ્યું છે. તે ફક્ત એક આધ્યાત્મિક કેન્દ્ર જ નહીં, પરંતુ મિથિલાના વારસાને દર્શાવતા સાંસ્કૃતિક કેન્દ્ર તરીકે પણ કાર્ય કરશે.
જાનકી કુંડનું પણ નવીનીકરણ કરાશે
મંદિર પરિસરમાં યજ્ઞ મંડપ, સંગ્રહાલય, સભાગૃહ, બાળકો માટે રમવાનું ક્ષેત્ર, સિતા વાટિકા, લવ-કુશ વાટિકા, ભજન સંધ્યા સ્થળ, ધર્મશાળા અને અતિથિ ગૃહ, મિથિલા હાટ અને કૅફેટેરિયા, ઇ-કાર્ટ સ્ટેશન, વિદ્યાર્થી નિવાસ, રોડ એક્ઝિબિશન અને પાર્કિંગ સુવિધાઓ સામેલ થશે. સમગ્ર વિકાસ હેઠળ જાનકી કુંડનું પણ સૌંદર્યીકરણ કરવામાં આવશે. આ પરિસર માતા સીતાથી જોડાયેલી ઐતિહાસિક અને પૌરાણિક કથાઓનું પ્રદર્શન કરશે, જેથી મુલાકાતીઓને આધ્યાત્મિક તેમજ સાંસ્કૃતિક સમૃદ્ધિ બંનેનો અનુભવ થાય.
ભગવાન રામના અસ્તિત્વને નકારનાર કોંગ્રેસ માટે ભવ્ય મંદિર એક કરારો જવાબ
કેન્દ્રિય કાપડ પ્રધાન ગિરિરાજ સિંહે કહ્યું, “પાછલા વર્ષે સીતામઢીમાં ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે રામ મંદિર બની ગયું છે… હવે પુનૌરા ધામમાં સીતાજીનું મંદિર બનશે. ત્યારે આ ખાસ કરીને કોંગ્રેસ જેવા લોકોના મુખ પર કરારો ચાટો છે, જેમણે ભગવાન રામના અસ્તિત્વને નકારી દીધું હતું.”
