Skip to main content
Settings Settings for Dark

ભારતીય રેલવેનો મોટો નિર્ણય! હવે 120 દિવસ નહીં પણ 60 દિવસ અગાઉ કરાવી શકાશે ટિકિટ બુક

Live TV

X
  • રેલવેના નવા નિયમો અનુસાર, 1 નવેમ્બર, 2024થી મુસાફરો તેમની મુસાફરીની તારીખના 60 દિવસ પહેલા જ ટિકિટ બુક કરાવી શકશે. જો કે, 31 ઓક્ટોબર 2024 સુધી બુકિંગના જૂના નિયમો એટલે કે 120 દિવસની સમય મર્યાદા લાગુ રહેશે.

    દિવાળી પહેલા રેલવે ટિકિટમાં કાળાબજારીને રોકવા માટે રેલવેએ એક નિયમમાં મોટો ફેરફાર કર્યો છે. ગુરુવારે એક મહત્વનો નિર્ણય લેતા રેલવેએ અગાઉથી ટિકિટ બુક કરાવવાની સમય મર્યાદા ઘટાડી દીધી છે. 1 નવેમ્બરથી મુસાફરો હવે 120 દિવસને બદલે માત્ર 60 દિવસ અગાઉ ટિકિટ બુક કરાવી શકશે. જો કે, 31 ઓક્ટોબર સુધી ટિકિટ બુકિંગમાં કોઈ ફેરફાર થશે નહીં.

    નવો નિયમ 1 નવેમ્બરથી લાગુ થશે

    રેલવેએ ગુરુવારે કહ્યું કે 1 નવેમ્બર 2024થી મુસાફરો તેમની મુસાફરીના 60 દિવસ પહેલા જ ટિકિટ બુક કરી શકશે. ટ્રેનની મુસાફરીની તારીખ 60 દિવસમાં શામેલ નથી

    આ ટ્રેન પર નવા નિયમ લાગુ નહીં થાય

    રેલવેએ માહિતી આપી છે કે તાજ એક્સપ્રેસ અને ગોમતી એક્સપ્રેસ જેવી કેટલીક વિશેષ ટ્રેનો પર આ નવો નિયમ લાગુ થશે નહીં. આ ટ્રેનોના બુકિંગ નિયમોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ સિવાય વિદેશી પ્રવાસીઓ માટે 365 દિવસ સુધી એડવાન્સ બુકિંગની સુવિધા પહેલાની જેમ જ રહેશે એટલે કે આ નિયમની વિદેશી પ્રવાસીઓ પર કોઈ અસર નહીં થાય.

    કાળાબજારી પર લાગશે રોક

    રેલવેએ એમ પણ કહ્યું કે હાલમાં ફક્ત 13 ટકા મુસાફરો 120 દિવસ પહેલા ટિકિટ બુક કરે છે, જ્યારે મોટાભાગના મુસાફરો તેમની મુસાફરીના 45 દિવસ પહેલા જ ટિકિટ બુક કરાવે છે. ટિકિટના એડવાન્સ બુકિંગ માટે આટલી લાંબી સમય મર્યાદાને કારણે ટિકિટ કેન્સલેશન અને રિફંડની સમસ્યાઓ વધી જાય છે. નવા નિયમથી ટિકિટના બ્લેક માર્કેટિંગને અસરકારક રીતે રોકવાની અપેક્ષા છે, જેનાથી મુસાફરોને ફાયદો થશે અને સિસ્ટમ વધુ પારદર્શક બનશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
apply