મમતા બેનર્જીના સમર્થનમાં આવ્યાં કૉંગ્રેસ અને બસપા
Live TV
-
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પ્રચાર વહેલો સમેટવાના ચૂંટણી પંચના નિર્ણયની કરી આકરી ટીકા
પશ્ચિમ બંગાળમાં અમિત શાહની રેલી દરમિયાન થયેલી હિંસા બાદ ચૂંટણી પંચે કડક વલણ અપનાવતા તેમજ ઐતિહાસિક નિર્ણય લેતા ચૂંટણી પ્રચાર નો સમય ઘટાડી દીધો હતો. આ અંગે કોંગ્રેસ તથા બસપા એ ચૂંટણી પંચ સામે પ્રશ્નો ઉભા કર્યા છે કોંગ્રેસ નેતા રણદીપ સૂરજેવાલા એ એક પત્રકાર પરિષદ દરમિયાન ચૂંટણી પંચના નિર્ણય સામે વિવિધ પ્રશ્નો ઉઠાવ્યા હતા. તો માયાવતી એ પણ ચૂંટણી પંચ ભાજપા ના ઇશારે કામ કરતું હોવાના આરોપ લગાવ્યા હતા અને ચૂંટણી પંચ ની ટીકા કરી હતી.
