રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગઈકાલે નામાંકિત પ્રતિભાઓને પદ્મ પુરસ્કાર એનાયત કર્યા
Live TV
-
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગઈકાલે નામાંકિત પ્રતિભાઓને પદ્મ પુરસ્કાર એનાયત કર્યા. રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાયેલા સમારોહમાં ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી, લોકસભા અધ્યક્ષ અને મંત્રીમંડળના સભ્યો હાજર રહ્યા હતા.
ગઈકાલે એનાયત થયેલા પુરસ્કારોમાં રાજ્યના ગાયક કલાકાર હેમંત ચૌહાણ તેમજ ઉદ્યોગપતિ અરીઝ ખંભાતાને મરણોત્તર પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. તેમના વતી તેમના પત્ની પર્સિસ ખંભાતાએ પુરસ્કાર સ્વીકાર્યો હતો. આ ઉપરાંત કલા ક્ષેત્રે દીવના પ્રેમજીત બારીયાને પણ પદ્મશ્રી સન્માનિત કરવામાં આવ્યા છે.
આ અગાઉ 22 માર્ચે 47 પ્રતિભાઓને સન્માનિત કરવામાં આવી હતી. ગઈકાલે બીજા તબક્કામાં બાકીના મહાનુભાવોને પદ્મ પુરસ્કાર એનાયત કરાયા છે.
