લોકસભામાં આજે કાર્યવાહી શરૂ થતાં જ રોહિંગ્યાનો મુદ્દો ઉઠ્યો
Live TV
-
ગૃહ રાજ્યમંત્રી કિરણ રિજીજૂ અને ગૃહમંત્રી રાજનાથસિંહે ચર્ચા શરૂ કરી.
લોકસભામાં આજે કાર્યવાહી શરૂ થતાં જ રોહિંગ્યાનો મુદ્દો ઉઠ્યો હતો. ગૃહ રાજ્યમંત્રી કિરણ રિજીજૂ અને ગૃહમંત્રી રાજનાથસિંહે ચર્ચા શરૂ કરી હતી. ગૃહમંત્રી રાજનાથસિંહે જણાવ્યું હતું કે રાજ્ય સરકારોને આપવામાં આવેલી એડવાઇઝરીમાં સાફ કહેવામાં આવ્યું છે કે તેઓ પોતાના રાજ્યોમાં રોહિંગ્યાની સંખ્યા વિશે ગૃહ મંત્રાલયને માહિતી આપે. આ માહિતીને પછી વિદેશમંત્રાલયને અપાશે. અને વિદેશમંત્રાલય તે પછી મ્યાનમાર સાથે રોહિંગ્યાને હદપાર કરવાને મુદ્દે વાતચીત કરશે. આ પહેલાં કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી કિરણ રિજીજૂએ પણ કહ્યું કે રોહિંગ્યા ભારતમાં શરણાર્થી નહીં પરંતુ ગેરકાયદે પ્રવાસી છે. દેશ માટે તેઓ કોઇ સમસ્યા ન બને તે માટે સરકારે પગલાં લીધા છે.
