વિદેશમંત્રી એસ. જયશંકર શ્રીલંકાના 2 દિવસના પ્રવાસે
Live TV
-
વિદેશમંત્રી એસ. જયશંકર શ્રીલંકાના 2 દિવસના પ્રવાસે, 5 થી 7 જાન્યુઆરી શ્રીલંકા સાથે અનેક દ્વીપક્ષીય મામલાઓ પર ચર્ચા કરશે તેમજ શ્રીલંકાનાં રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષે, પ્રધાનમંત્રી મહિન્દા રાજપક્ષે અને પોતાનાં સમકક્ષ દિનેશ ગુનવર્ધને સાથે મુલાકાત કરશે..
વિદેશમંત્રી એસ. જયશંકર બે દિવસીય શ્રીલંકાના પ્રવાસે જવાના છે, તેઓ 5 થી 7 જાન્યુઆરી શ્રીલંકા સાથે અનેક દ્વીપક્ષીય મામલાઓ પર ચર્ચા કરશે.. તેમના વિદેશ પ્રવાસ દરમ્યાન તેઓ શ્રીલંકાનાં રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષે, પ્રધાનમંત્રી મહિન્દા રાજપક્ષે અને પોતાનાં સમકક્ષ દિનેશ ગુનવર્ધને સાથે મુલાકાત કરશે..કોરોના મહામારીનાં કારણે વિદેશ મંત્રીની યાત્રા દરમ્યાન ખાસ આયોજનો કરવામાં આવ્યા છે.. વર્ષ 2021માં વિદેશમંત્રીનો આ પહેલો વિદેશ પ્રવાસ છે..આ પ્રવાસથી ભારત અને શ્રીલંકા બન્ને દેશો વચ્ચે દ્વીપક્ષીય સંબંધો વધુ મજબુત બનશે..બેઠકનાં મુખ્ય મુદ્દાઓમાંથી એક મુદ્દો કોરોના વાયરસ અને તેનાથી લડવા માટેની વેક્સીન પણ રહેશે..ભારતે ભરોસો અપાવ્યો છે કે તે પ્રાથમિકતાનાં આધારે પોતાનાં પાડોશી દેશોને વેક્સીન પહોંચાડશે.
