Skip to main content
Settings Settings for Dark

45 કરોડ જનધન ખાતામાં અત્યાર સુધીમાં 2.1 લાખ કરોડ રૂપિયા એકઠા થયા: કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર

Live TV

X
  • કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે 45 કરોડ જન ધન ખાતાઓમાં અત્યાર સુધીમાં 2.1 લાખ કરોડ રૂપિયા એકઠા થયા છે. શુક્રવારે દિલ્હીમાં ફેડરલ બેંકની 2024ની વાર્ષિક સરકારી અને સંસ્થાકીય બિઝનેસ મીટનું ઉદ્ઘાટન કરતાં અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે બેંકિંગ ક્ષેત્ર આજે દેવાની ચુંગાલમાંથી બહાર છે અને સર્વકાલીન ઉચ્ચ પ્રદર્શન પર છે.

    અનુરાગ ઠાકુરે કહ્યું કે ઘણા લોકોએ તેને નૉન-સ્ટાર્ટર તરીકે નકારી કાઢ્યું હતું, પરંતુ સરકાર હવે આ યોજના વિશે વિશેષ ગર્વ અનુભવે છે. તેમણે વધુમાં જણાવ્યું કે આજે ભીમ યુપીઆઈ દ્વારા સૌથી નાની ચૂકવણી કરવામાં આવી રહી છે. આ એવા ઉદાહરણો છે જે ભારતને નાજુક 5માંથી વિશ્વની ટોચની 5 અર્થવ્યવસ્થામાં લઈ ગયા છે અને ટૂંક સમયમાં દેશને ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થામાં લઈ જશે.

    મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે સરકાર આર્થિક અપરાધ બિલ સાથે બહાર આવી છે, અને હજુ પણ તમામ અપરાધીઓને ભારત પરત લાવવા માટે વિદેશમાં કેસ લડી રહી છે. તેમણે કહ્યું કે ગ્રોસ નોન-પર્ફોર્મિંગ એસેટ્સ, NPA ઘટીને 3.2 ટકા થઈ ગઈ છે અને 2023માં સંપત્તિ પર વળતર 0.5 ટકાથી વધીને 0.79 ટકા થયું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
apply