9-10 સપ્ટેમ્બરના રોજ 300 થી વધુ ટ્રેનોના સંચાલનને અસર થશે
Live TV
-
ઉત્તર રેલવેએ તેની પોસ્ટમાં કહ્યું છે કે 9-10 સપ્ટેમ્બરે દિલ્હીમાં યોજાનારી G20 સમિટને કારણે આ ટ્રેનોના સંચાલનને અસર થશે. આ ટ્રેનોમાં ઈન્ટરસિટી અને એક્સપ્રેસ ટ્રેનો પણ સામેલ છે. ઉત્તર રેલવેની પોસ્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે સુરક્ષા વ્યવસ્થા માટે ચાલી રહેલી એડવાઈઝરીને ધ્યાનમાં રાખીને આ ટ્રેનોને 8 થી 11 સપ્ટેમ્બરની વચ્ચે રદ્દ કરવામાં આવી છે અને તેમના રૂટ અથવા ડેસ્ટિનેશનમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
મુસાફરોની અસુવિધા ઘટાડવા માટે, જમ્મુ તાવી-નવી દિલ્હી રાજધાની એક્સપ્રેસ, તેજસ રાજધાની હઝરત નિઝામુદ્દીન એક્સપ્રેસ, વારાણસી-નવી દિલ્હી એક્સપ્રેસ સહિત 70 ટ્રેનોના હોલ્ટ માટે વધારાના સ્ટેશનો નિર્ધારિત કરવામાં આવ્યા છે. 36 ટ્રેનોના પ્રસ્થાન અને ગંતવ્ય સ્ટેશન બદલવામાં આવ્યા હતા. તેમજ G20 સમિટ દરમિયાન દિલ્હીના કિશનગંજ રેલવે સ્ટેશન પર ત્રણ ટ્રેનો રોકાશે નહીં.
