અરવલ્લીમાં વરસાદને લઇને જગતના તાતમાં ખુશીની લહેર
Live TV
-
અરવલ્લી જિલ્લામાં ફરી વરસાદ વરસતા જગતના તાત માં ખુશીની લહેર જોવા મળી હતી. ઓછા વરસાદને કારણે મગફળી, કપાસ અને મકાઈના વાવેતર પર ભય તોળાયો હતો. શરૂઆતમાં અરવલ્લી જિલ્લામાં વરસાદ થયા બાદ બે સપ્તાહથી વધારે વરસાદે વિરામ લીધો હતો,
અરવલ્લી જિલ્લામાં ફરી વરસાદ વરસતા જગતના તાત માં ખુશીની લહેર જોવા મળી હતી. ઓછા વરસાદને કારણે મગફળી, કપાસ અને મકાઈના વાવેતર પર ભય તોળાયો હતો. શરૂઆતમાં અરવલ્લી જિલ્લામાં વરસાદ થયા બાદ બે સપ્તાહથી વધારે વરસાદે વિરામ લીધો હતો, જેથી પાક સૂકાવા લાગ્યો હતો, એટલું જ નહીં જળાશયોમાં પાણીનો પુરતો જથ્થો ન હોવાથી, તંત્ર દ્વારા સિંચાઈનું પાણી બંધ કરી દેવાયું હતું. સિંચાઈનું પાણી બંધ કરાતા ખેડૂતોના જીવ પડીકે બંધાયા હતા, પણ કુદરત મહેરબાન થતાં મેઘમહેર થતાં ખેડૂતોના પાકને જીવતદાન મળ્યુ છે અને ખેડૂતો માં ખુશીની લાગણી જોવા મળી છે.
