આણંદમાં પ્રજ્ઞાચક્ષુઓ સાથે દિવાળીની ઉજવણી
Live TV
-
અંધજન મંડળ દ્વારા પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓને દિવાળી પર ફટકડા તેમના ઘરે મોકલવામાં આવશે.
દિવાળી એટલે પ્રકાશનું પર્વ. આ દિવસે તમામ લોકો પોતાના ઘરે દિવડા પ્રગટાવી નવા ઉજાસનો સંચય કરે છે.પરંતુ કેટલાક લોકો એવા હોય છે કે તમનું સમગ્ર જીવન અંધકારમય જ હોય છે.આવા લોકો એટલે આપણા પ્રજ્ઞાચક્ષુ લોકો.આ લોકો અજવાળાનો આનંદ માણી શક્તા નથી.પણ ઘણી એવા સંસ્થાઓ છે જે તેમના જીવનમાં ઉજાસ લાવવાનો પ્રયાસ કરે છે.આણંદના વિદ્યાનગર સ્થિત અંધજન મંડળ દ્વારા પ્રજ્ઞાચક્ષુ લોકો સાથે દિવાળીની ઉજવણી કરવામાં આવી હતી અને તેમના જીવનમાં આનંદ રૂપી પ્રકાશ ફેલાવવાનો ભગીરથ પ્રયાસ કરવામાં આવ્યો હતો. અંધજન મંડળ દ્વારા પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓને દિવાળી પર ફટકડા તેમના ઘરે મોકલવામાં આવશે.
