જગત મંદિર દ્વારકામાં નંદ મહોત્સવની ઉજવણી
Live TV
-
રાત્રે 12.00 વાગ્યે દ્વાર ખુલતાની સાથે જ ભક્તોએ નંદ ઘેર આનંદ ભર્યો જય કનૈયા લાલકીનો જય ઘોષ કર્યો
પવિત્ર પુરષોત્તમ માસની આઠમના દિવસે પરંપરા મુજબ જગત મંદિર દ્વારકામાં નંદ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. રાત્રીના સમયે ઉજવાયેલા આ મહોત્સવમાં મોટી સંખ્યામાં ભક્તોએ રાત્રીના 12.00 વાગ્યે કાન્હાના જન્મની ઉજવણી કરી હતી. જગત મંદિરના રાત્રે 12.00 વાગ્યે દ્વાર ખુલતાની સાથે જ ભક્તોએ નંદ ઘેર આનંદ ભર્યો જય કનૈયા લાલકીનો જય ઘોષ કર્યો હતો અને ભગવાનનો જન્મોત્સવ મનાવ્યો હતો અને ભગવાનની આરતીનો ભાગ લીધો હતો. સુરક્ષાને લઈ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
