ડાકોર ખાતે રાજા રણછોડરાયના દર્શન માટે ઉમટ્યુ ભકતોનું ઘોડાપુર
Live TV
-
સમગ્ર રાજ્યમાંથી આવેલા ભક્તોએ રાજા રણછોડરાયના દર્શન કરી અનુભવી ધન્યતા
ખેડા જિલ્લાના યાત્રાધામ ડાકોર ખાતે આજે વહેલી સવારથી જ ખેડા-આણંદ જીલ્લો તથા સમગ્ર રાજ્યમાંથી રાજા રણછોડરાયના દર્શન માટે ભકતોનું ઘોડાપુર ઉમટ્યુ હતું.ભગવાન રણછોડરાયના દર્શન કરી સૌ ધન્યતા અનુભવતા હતા.ડાકોર મંદિરમાં સુંદર રોશની કરવામાં આવી હતી.આ ઉપરાંત ખેડા જિલ્લાના વડામથક નડિયાદમાં આવેલ શ્રી સંતરામ મંદિર આસ્થાનું પ્રતિક અને જનસેવા એજ પ્રભુસેવાનો નિયમ છે તેવા શ્રી સંતરામ મંદિરમાં 187 વર્ષ પહેલા લિધેલી પરમ પૂજ્ય પ્રાતઃસ્મરણીય શ્રી સંતરામ મહારાજના સમાધિના તેમજ દિવ્ય અંખડ જ્યોતિના દર્શન કરવા ખેડા જિલ્લામાંથી તથા રાજ્યમાંથી સંતરામ ભક્તો આવ્યા હતા.
