દીવ-માસિક ધર્મ જાગૃતિ અંગે સેમિનાર
Live TV
-
કિશોરીઓ, મહિલા મંડળની બહેનો, આશા વર્કર અને આંગણવાડીની બહેનોની હાજરી
દીવના વણાંકબારામાં ઉમંગ કાર્યક્રમ અંતર્ગત દીવ આરોગ્ય વિભાગ દ્વારા માસિક ધર્મ જાગૃતિ અંગે સેમિનારનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે આરોગ્ય અધિકારી ડો. કાસીમ સુલતાને માસિક ધર્મ અંગે જાગરૂકતા અંગેની માહિતી આપતા જણાવ્યુ હતું કે, કિશોરાવસ્થામાં માસિક ધર્મના પ્રારંભથી સ્વચ્છ નેપકિનનો ઉપયોગ કરવામાં આવે તો અનેક રોગોથી બચી શકાય છે. દીવ જિલ્લાની શાળાઓમાં સેનેટરી પેડના વિતરણ અને તેના નિકાલ મશીનો સુવિધા ઉપલબ્ધ હોવાનું પણ તેમણે જણાવ્યુ હતું. આ કાર્યક્રમમાં કિશોરીઓ, મહિલા મંડળની બહેનો, આશા વર્કર અને આંગણવાડીની બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી.
