શહેરીજનો માટે ATM મોબાઇલ વાન શરૂ કરાઇ
Live TV
-
અમદાવાદ શહેરમાં કોરોનાના પોઝિટીવ કેસ વધતાં શહેરીજનોને બેન્કીંગ સેવા મળી રહે તે માટે અમદાવાદ અને ગાંધીનગરના શહેરીજનો માટે ATM મોબાઇલ વાન શરૂ કરાઈ છે. મોબાઈલ વાનનો અમદાવાદમાં જિલ્લા કલેકટરશ્રીને બેન્ક ઓફ બરોડાના મહાનિદેશક શ્રીમતી અર્ચના પાન્ડેની ઉપસ્થિતિમાં પ્રારંભ કરાયો હતો. અમદાવાદ શહેરમાં સવારે સાડા આઠ થી બપોરે 1 વાગ્યા સુધી અને ગાંધીનગર ખાતે બપોરે સાડા ત્રણથી સાડા છ વાગ્યા સુધી ATM મોબાઈલ સેવા ઉપલબ્ધ રહેશે
