અમદાવાદમાં કોરોનાની સ્થિતિને ધ્યાનમાં લઈને સ્ટેડિયમમાં 50 ટકા લોકોને જ મંજૂરી
Live TV
-
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટી ટ્વેન્ટી સીરીઝ આજથી અમદાવાદમાં શરૂ થઇ રહી છે. ઇંગ્લેન્ડ વર્તમાનમાં ટી ટ્વેન્ટી રેન્કિંગમાં વિશ્વની નંબર એક ટીમ છે. ભારતીય ટીમ ત્રીજા સ્થાને છે. ટેસ્ટ સીરિઝમાં દેશનો દબદબો જોવા મળ્યો હતો, પરંતુ ટી ટ્વેન્ટીમાં વિશ્વની નંબર એક ટીમને પરાજય આપવો ભારત માટે આસાન નહીં હોય. બંને ટીમની નજર આ વર્ષના અંતભાગમાં ભારતમાં યોજાનારા ટી ટ્વેન્ટી વિશ્વકપ પર પણ ટકેલી છે. બંને દેશોએ પાંચ મેચની ટી ટ્વેન્ટી સીરિઝ માટે મજબૂત ટીમની પસંદગી કરી છે. વિરાટ કોહલી અને રોહિત શર્મા તમામ મેચ રમશે તે નક્કી છે. પરંતુ અન્ય અગ્રક્રમના બેટ્સમેનને મુદ્દે લોકેશ રાહુલ અને શિખર ધવન વચ્ચે મુકાબલો રહેશે. તો બીજી તરફ અમદાવાદ શહેરમાં કોરોનાની સ્થિતિને ધ્યાનમાં લઈને સ્ટેડિયમમાં 50 ટકા જ લોકોને મંજૂરી આપવામાં આવી છે. આ પહેલા કુલ 100 ટકા કેપેસીટી સાથે મેચ રમવાનું નક્કી કરાયુ હતુ.
