ન્યુઝીલેન્ડ સામેની વનડે સીરિઝ માટે ભારતીય ટીમની જાહેરાત
Live TV
-
2026ની ભારતીય ક્રિકેટ ટીમનો પહેલો ટેસ્ટ ન્યુઝીલેન્ડ સામે રમાશે. ભારતીય ટીમ 11 જાન્યુઆરીથી ન્યુઝીલેન્ડ સામે ત્રણ વનડે અને પાંચ ટી20 મેચ રમશે. ટી20 સીરિઝ માટે ભારતીય ટીમની જાહેરાત પહેલાથી જ થઈ ગઈ છે. વનડે સીરિઝ માટે ટીમ ઈન્ડિયાની ટીમની જાહેરાત કરવામાં આવી.
શુભમન ગિલ વનડે સીરિઝમાં ટીમનું નેતૃત્વ કરશે. શુભમન ઈજાને કારણે દક્ષિણ આફ્રિકા સામેની વનડે સીરિઝમાં રમી શક્યો ન હતો, જેના કારણે કેએલ રાહુલને કેપ્ટન બનાવાયો હતો. ભારતે તે સીરિઝ 2-1થી જીતી હતી. શુભમનની સાથે ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ અને વાઇસ-કેપ્ટન શ્રેયસ ઐયરનો પણ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જોકે, શ્રેયસ ફિટ જાહેર થાય તો જ સીરિઝમાં ભાગ લઈ શકશે. શ્રેયસને ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન ઈજા થઈ હતી અને ત્યારથી તે મેદાનની બહાર છે.
ન્યુઝીલેન્ડ સામેની ODI સીરિઝ માટે ભારતીય ટીમ: શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, કેએલ રાહુલ (વિકેટકીપર), શ્રેયસ ઐયર (વાઇસ-કેપ્ટન*), વોશિંગ્ટન સુંદર, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ સિરાજ, હર્ષિત રાણા, પ્રસિધ કૃષ્ણા, કુલદીપ યાદવ, રિષભ પંત (વિકેટકીપર), નીતિશ કુમાર રેડ્ડી, અર્શદીપ સિંહ અને યશસ્વી જયસ્વાલ.
