BCCIએ ઈંગ્લેન્ડ સામેની પહેલી બે ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમની જાહેરાત કરી
Live TV
-
ભારતીય ટીમના નિયમિત કેપ્ટન વિરાટ કોહલી ટીમમાં પરત ફર્યા છે
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ- બીસીસીઆઇ એ ઇગ્લેન્ડ સાથે આવતા મહિને યોજાનાર ચાર ટેસ્ટમેચની શ્રેણીની પ્રથમ બે ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે. ભારતીય ટીમના નિયમિત કેપ્ટન વિરાટ કોહલી ટીમમાં પરત ફર્યા છે. કોવિડની સ્થીતિમાં બીસીસીઆઇ એ 16 ના બદલે 18 ખેલાડીની પસંદગી કરી છે. પ્રથમ ટેસ્ટ 5 ફેબ્રુઆરી થી નવ ફેબ્રુઆરી સુધી, બીજી ટેસ્ટ 13 ફેબ્રુઆરી થી 17 ફેબ્રુઆરી સુધી ચેન્નાઇમાં રમાશે. ત્રીજી મેચ 24 થી 28 ફેબ્રુઆરી અને ચોથી ટેસ્ટ 4 માર્ચ થી 8 માર્ચ સુધી અમદાવાદમાં રમાશે.
પ્રથમ બે મેચ માટે ભારતીય ટીમ આ પ્રમાણે છે.
- વિરાટ કોહલી- કેપ્ટન,
- અજીંકય રહાણે,
- અક્ષર પટેલ,
- ચેતેશ્વર પુજારા,
- હાર્દિક પંડ્યા,
- ઇશાંત શર્મા,
- જસપ્રીત બુમરાહ,
- કે.એલ.રાહુલ,
- કુલદીપ યાદવ,
- મયંક અગ્રવાલ,
- મોહમ્મદ સિરાજ,
- રવિચંદ્રન અશ્વીન,
- ઋષભ પંત- વિકેટ કીપર,
- રોહિત શર્મા,
- શાર્દુલ ઠાકુર,
- શુભમન ગિલ,
- વોશિગ્ટન સુંદર,
- રિધ્ધીમાન સાગા - વિકેટ કિપર
