FIDE ચેસ વર્લ્ડ કપ: પી હરિકૃષ્ણ બહાર, અર્જુન એરિગાઈસી એકમાત્ર ભારતીય આશા
Live TV
-
FIDE ચેસ વર્લ્ડ કપ: પી હરિકૃષ્ણ બહાર, અર્જુન એરિગાઈસી એકમાત્ર ભારતીય આશા!
FIDE ચેસ વર્લ્ડ કપમાં ગઈકાલે ભારતીય ગ્રાન્ડ માસ્ટર પી હરિકૃષ્ણની સફરનો અંત આવ્યો, જ્યારે તે પાંચમા રાઉન્ડની ટાઈ-બ્રેક મેચમાં મેક્સિકોના જોસ માર્ટિનેઝ અલ્કાન્ટારા સામે હારી જતાં ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયા. ભારતની તમામ આશાઓ યુવા ગ્રાન્ડ માસ્ટર અર્જુન એરિગાઈસી પર ટકેલી છે, જે ક્વાર્ટર ફાઇનલમાં પહોંચનાર એકમાત્ર ભારતીય ખેલાડી છે.
એરિગાઈસીએ દિગ્ગજને હરાવ્યા
શાનદાર પ્રદર્શન કરતા, અર્જુન એરિગાઈસીએ આ પહેલા શનિવારે પ્રી-ક્વાર્ટર ફાઇનલના બીજા રાઉન્ડમાં બે વખતના ચેમ્પિયન, યુએસએના અનુભવી લેવોન એરોનોનિયનને હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. એરિગાઈસીએ અત્યાર સુધીની ટુર્નામેન્ટમાં મજબૂત અને આક્રમક રમતનું પ્રદર્શન કર્યું છે.
આજે ક્વાર્ટર ફાઇનલમાં મુકાબલો
આજે, ગ્રાન્ડ માસ્ટર અર્જુન એરિગાઈસી ક્વાર્ટર ફાઇનલમાં ચીનના જીએમ વેઈ યીનો સામનો કરશે. આ મુકાબલો ભારતીય ચાહકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, કેમ કે એરિગાઈસીના ખભા પર હવે સમગ્ર દેશનું પ્રતિનિધિત્વ કરવાની જવાબદારી છે.
