PM મોદીએ ધોનીને લખ્યો પત્ર, કહ્યું, '130 કરોડ ભારતીયો તમારી નિવૃતિથી નિરાશ'
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોનીને લખ્યો પત્ર - કહ્યું, - તમારી નિવૃત્તિથી 130 કરોડ ભારતીયો નિરાશ છે, પરંતુ દરેક ભારતીય ક્રિકેટમાં તમારા યોગદાન બદલ આભારી - જીત હોય કે હાર, તમારું મન અને મગજ હંમેશા શાંત રહ્યું. આ દેશના દરેક યુવા માટે સૌથી મહત્ત્વની શીખ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કપ્તાન મહેન્દ્રસિંહ ધોનીને એક પત્ર લખી ધોનીના ભરપૂર વખાણ કર્યા હતા. પ્રધાનમંત્રીએ પત્રમાં લખ્યું છે કે, તમે તમારી વિશેષ શૈલીમાં શેર કરેલો વીડિયો આખા દેશ માટે ચર્ચાનો વિષય બની ગયો છે.
જો કે 130 કરોડ ભારતીયો નિરાશ થયા હતા, પરંતુ ભારતીય ક્રિકેટ માટે ધોનીએ જે કર્યું તે માટે દરેક ભારતીય આભારી છે. પ્રધાનમંત્રીના પત્રને મહેન્દ્રસિંહ ધોનીએ ટ્વિટર પર શેર કર્યો હતો. ધોનીએ PMનો આભાર વ્યક્ત કરતા ટ્વીટ કર્યું હતું કે, એક કલાકાર, સૈનિક અને ખેલાડી એ જ ઈચ્છે છે કે તેમને પ્રોત્સાહન મળે અને તેમની મહેનત અને બલિદાનને યાદ રાખવામાં આવે.
