એર ઇન્ડિયાનો 100% હિસ્સો વેચવા માટે ટેન્ડર બહાર પડાયું
Live TV
-
સરકાર ઍર ઈન્ડિયા એક્સપ્રેસમાંથી 100 ટકા ભાગીદારી વેચવા જઈ રહી છે. તો તેની સબ્સિડિયરી કંપની ઍરપોર્ટ સર્વિસ કંપનીમાં પણ તેની 50 ટકા ભાગીદારી વેચવા જઈ રહી છે. તેના માટે પણ ભારત સરકારે બોલી લગાવનારાને આમંત્રિત કર્યા છે.
સોમવારે ભારત સરકાર દ્વારા જાહેર કરાયેલ મેમોરેન્ડમ દ્વારા ભારત સરકારે ઍર ઈન્ડિયામાં તેની 100 ટકા ભાગીદારી વેચવા માટેનો રસ્તો સાફ કર્યો છે. જેના માટે બોલી લગાવવાની અંતિમ તારીખ 17 માર્ચ નક્કી કરવામાં આવી છે. સરકારે સબ્સિડિયરી કંપની ઍર ઈન્ડિયા એક્સપ્રેસ અને ઍરપોર્ટ સર્વિસ કંપનીને પણ વેચવા માટે બોલી લગાવનારાને આમંત્રિત કર્યા છે.
