Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી મોદીએ ભારતના 140 કરોડ લોકોના પ્રયત્નોને વિશ્વની 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થામાં ભારતની વૃદ્ધિનો આપ્યો શ્રેય

Live TV

X
  • પ્રધાનમંત્રી મોદીએ મોંઘવારી સામે લડવાનું ચાલુ રાખવાનું આપ્યું વચન

    77માં સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લાની પ્રાચી પરથી સંબોધન કરતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વમાં 10માથી 5મા સૌથી મોટા અર્થતંત્રમાં ભારતનો ઉદય થવાનો શ્રેય ભારતના 140 કરોડ લોકોના પ્રયાસોને આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે, આવું એટલા માટે થયું છે કારણ કે આ સરકારે લીકેજ બંધ કર્યું છે, મજબૂત અર્થવ્યવસ્થા બનાવી છે અને ગરીબોના કલ્યાણ માટે મહત્તમ નાણાં ખર્ચ્યા છે.

    પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, “આજે હું લોકોને કહેવા માંગુ છું કે જ્યારે દેશ આર્થિક રીતે સમૃદ્ધ બને છે, ત્યારે તે તિજોરી ભરતી નથી; તે રાષ્ટ્ર અને તેના લોકોની ક્ષમતામાં વધારો કરે છે. જો સરકાર તેના નાગરિકોના કલ્યાણ માટે દરેક પૈસો ખર્ચવાનું વચન આપે તો પરિણામો આપોઆપ આવશે. 10 વર્ષ પહેલા ભારત સરકાર રાજ્યોને 30 લાખ કરોડ રૂપિયા મોકલતી હતી. છેલ્લા 9 વર્ષમાં આ આંકડો 100 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો છે. આ સંખ્યાઓ જોઈને તમને લાગશે કે ક્ષમતામાં મોટા વધારા સાથે આટલું મોટું પરિવર્તન થયું છે!”

    સ્વ-રોજગારના મોરચે પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું કે, “યુવાનોને તેમના વ્યવસાય માટે સ્વ-રોજગાર માટે રૂ. 20 લાખ કરોડથી વધુ આપવામાં આવ્યા છે. 8 કરોડ લોકોએ નવો ધંધો શરૂ કર્યો છે અને એટલું જ નહીં દરેક બિઝનેસમેને એક-બે લોકોને રોજગારી આપી છે. તેથી, (પ્રધાનમંત્રી) મુદ્રા યોજનાનો લાભ લઈ રહેલા 8 કરોડ નાગરિકો પાસે 8-10 કરોડ નવા લોકોને રોજગાર પ્રદાન કરવાની ક્ષમતા છે.”

    કોવિડ-19 રોગચાળાનો ઉલ્લેખ કરતાં પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું કે, કોરોના વાયરસના સંકટમાં 3.5 લાખ કરોડ રૂપિયાની લોનની મદદથી MSMEsને નાદાર થવા દેવામાં આવ્યા ન હતા. તેમને મરવા દેવામાં આવ્યા ન હતા, તેમને શક્તિ આપવામાં આવી હતી.

    નવા અને મહત્વાકાંક્ષી મધ્યમ વર્ગ વિશે જણાવતાં પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, “જ્યારે દેશમાં ગરીબી ઓછી થાય છે, ત્યારે મધ્યમ વર્ગની શક્તિ ઘણી વધી જાય છે. અને હું તમને ખાતરી સાથે ખાતરી આપું છું કે આવનારા પાંચ વર્ષમાં દેશ વિશ્વની પ્રથમ ત્રણ અર્થવ્યવસ્થાઓમાં પોતાનું સ્થાન મેળવી લેશે. આજે 13.5 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવીને મધ્યમ વર્ગની તાકાત બની ગયા છે. જ્યારે ગરીબોની ખરીદશક્તિ વધે છે ત્યારે મધ્યમ વર્ગની વ્યાપાર શક્તિ વધે છે. જ્યારે ગામડાની ખરીદશક્તિ વધે છે ત્યારે નગર અને શહેરની આર્થિક વ્યવસ્થા તેજ ગતિએ ચાલે છે. આ એકબીજા સાથે જોડાયેલું આપણું આર્થિક ચક્ર છે. અમે તેને તાકાત આપીને આગળ વધવા માંગીએ છીએ.

    વધુમાં પ્રધાનમંત્રી મોદી કહ્યું હતું કે, જ્યારે આવકવેરાની (મુક્તિ) મર્યાદા રૂ. 2 લાખથી વધારીને રૂ. 7 લાખ કરવામાં આવે છે, ત્યારે સૌથી વધુ ફાયદો પગારદાર વર્ગને થાય છે, ખાસ કરીને મધ્યમ વર્ગને થાય છે. તથા વિશ્વ દ્વારા સામૂહિક રીતે સામનો કરવામાં આવેલી તાજેતરની સમસ્યાઓનો ઉલ્લેખ કરતાં પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, “વિશ્વ હજી કોવિડ-19 રોગચાળામાંથી બહાર આવ્યું નથી, અને યુદ્ધે એક નવી સમસ્યા ઊભી કરી છે. આજે દુનિયા મોંઘવારીના સંકટનો સામનો કરી રહી છે.

    મોંઘવારી સામે લડવા વિશે વાત કરતાં પ્રધાનમંત્રીએ ખાસ કહ્યું હતું કે, “ભારતે ફુગાવાને કાબૂમાં લેવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કર્યા છે. આપણે એવું ન વિચારી શકીએ કે આપણી વસ્તુઓ દુનિયા કરતા સારી છે, મારે મારા દેશવાસીઓ પર મોંઘવારીનો બોજ ઓછો કરવા માટે આ દિશામાં વધુ પગલાં ભરવા પડશે. ફુગાવાને કાબૂમાં લેવા માટે મારા પ્રયાસો ચાલુ રહેશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply