Jioએ TRAIને કર્યું સૂચન, સરકારે 2G અને 3G નેટવર્ક બંધ કરવું જોઈએ
Live TV
-
Jioએ TRAIને કર્યું સૂચન, સરકારે 2G અને 3G નેટવર્ક બંધ કરવું જોઈએ
ટેલિકોમ કંપની રિલાયન્સ જિયોએ સરકારને દેશમાં 2G અને 3G નેટવર્ક સેવાઓ બંધ કરવા અને હાલના વપરાશકર્તાઓને 4G અને 5G નેટવર્ક પર શિફ્ટ કરવાની સલાહ આપી છે. કંપનીએ કહ્યું કે, આનાથી નેટવર્કનો બિનજરૂરી ખર્ચ બચશે. Jio એ પણ સરકારને આ માટે પોલિસી બનાવવા માટે કહ્યું છે. રિલાયન્સ જિયો દેશભરમાં 5G નેટવર્ક સેવા પ્રદાન કરી રહ્યું છે. છેલ્લા એક વર્ષથી ભારતમાં યુઝર્સને 5G સેવાઓ મફતમાં આપવામાં આવી રહી છે. આ સાથે દેશની બીજી મોટી ટેલિકોમ કંપની એરટેલ પણ આ સેવા ફ્રીમાં આપી રહી છે.
ટેલિકોમ રેગ્યુલેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) એ ટેલિકોમ ઓપરેટરો પાસેથી સલાહ મેળવવા માટે '5G ઈકોસિસ્ટમ દ્વારા ડિજિટલ ટ્રાન્સફોર્મેશન' નામનું કન્સલ્ટેશન પેપર બહાર પાડ્યું હતું.
