બોલીવુડના દિગ્ગજ કલાકાર દિલીપ કુમારને આજે મુંબઇની હિંદુજા હોસ્પિટલમાંથી રજા અપાશે
Live TV
-
બોલીવુડના દિગ્ગજ કલાકાર દિલિપકુમારના ચાહકો માટે સારા સમાચાર આવ્યા છે. દિલીપ કુમારને આજે મુંબઇની હિંદુજા હોસ્પિટલમાંથી રજા અપાશે. ઉલ્લેખનીય છે કે દિલિપકુમારને શ્વાસ લેવામાં તકલીફ થતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. સાયરાબાનો દિલિપકુમારનો ખૂબ જ ખ્યાલ રાખે છે. જેથી હવે દિલિપ કુમાર સાજા થઇ ગયા છે. ડિસેમ્બર 2020થી દિલિપકુમારની તબિયત સારી નથી. હવે મળતી માહિતી મુજબ તેમને થોડા દિવસ પહેલાથી શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી. આથી તેમને હવે હોસ્પિટલમાં દાખલ કરાયા છે. તેઓ ખૂબ કમજોર થઈ ગયા છે અને તેમની ઈમ્યુનિટી પણ ઓછી થઈ ગઈ છે. હવે તેઓને હોસ્પિટલમાંથી રજા અપાશે જેથી ચાહકોમાં ખુશીની લહેર જોવા મળશે.
