51માં ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટીવલનો આજે ચોથો દિવસ
Live TV
-
2020માં દુનિયાને અલવિદા કહેનાર ઈરફાન ખાન, સુશાંત સિંહ રાજપૂત, રિશિ કપૂર સહિતની 28 ફિલ્મી હસ્તીઓને શ્રદ્ધાંજલિ અપવામાં આવી
ગોવામાં ચાલી રહેલા 51માં ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટીવલનો આજે ચોથો દિવસ છે. ત્રીજા દિવસે આ ફેસ્ટીવલમાં વર્ષ 2020માં દુનિયાને અલવિદા કહેનાર ઈરફાન ખાન, સુશાંત સિંહ રાજપૂત, રિશિ કપૂર સહિતની 28 ફિલ્મી હસ્તીઓને શ્રદ્ધાંજલિ અપવામાં આવી હતી. જેની શરૂઆત રિશિ કપૂરની ફિલ્મ "બોબી" થી થઈ. રાજકપૂર દ્વારા નિર્દેશીત આ ફિલ્મ માટે રિશિ કપૂરને નેશનલ એવોર્ડથી સન્માનીત કરાયા હતા.
તે સિવાય સુશાંત સિંહ રાજપૂતની ફિલ્મ "કેદારનાથ" નું પણ પ્રદર્શન કરાયુ હતુ. બાસુ ચેટર્જીની ફિલ્મ "છોટી સી બાત" પણ આ ફેસ્ટીવલનાં ત્રીજા દિવસે પ્રદર્શિત કરાઈ, સત્યજીત રે સેક્શનમાં તેમની ફિલ્મ "સોનાર" નું પ્રદર્શન થયુ. વર્ષ 2020 બોલીવૂડ માટે ખૂબ દુખ:દ રહ્યુ કારણ કે ગત વર્ષે હિન્દી સિનેમાનાં ધણાં દિગ્ગજ કલાકારોએ દુનિયાને અલવીદા કહી દીધુ હતું. સોમવારે ફિલ્મ ફેસ્ટીવલ મહોત્સવમાં ઓટીઝમ બિમારી પર આધારીત "ઈન અવર વલ્ડ" ફિલ્મને ખાસ પ્રસ્તુત કરાઈ હતી.
