SSR કેસમાં એમ્સના ફોરેન્સિક નિષ્ણાતોની ટીમે પોતાનો અહેવાલ સીબીઆઇને સોંપ્યો
Live TV
-
સુશાંતસિંહ રાજપૂત કેસમાં તપાસ કરી રહેલી એમ્સના ફોરેન્સિક નિષ્ણાતોની ટીમે પોતાનો અહેવાલ સીબીઆઇને સોંપી દીધો છે. ફોરેન્સિક ટીમે પોતાના ફાઇનલ રિપોર્ટમાં કહ્યું છે કે, સુશાંતનું મૃત્યુ આત્મહત્યાને કારણે થયું છે. એમ્સ નિષ્ણાતોની ટીમના વડાએ ગળુ દબાવીને સુશાંતની હત્યા થઇ હોવાની કોઇપણ સંભાવવાનાને નકારી કાઢી છે.
